SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩eo છે-“બેટા! અજુન! જે, વડીલ પિતાની આજ્ઞા ન ઓળગાય. તારા જે દીકરે તે પિતાની નહીં પણ પિતાની વાત જ સત્ય કરે. તું તો સમજદાર છે. આવી જીદ કરાય બેટા? આ તારું શરીર અને જંગલને કઈ મેળ છે? દૂધ-દહીં ખાવાની તને રોજની ટેવ અને પેલા વનમાં તે માત્ર જંગલી ફળોને આહાર... અહીં તે તારા માથા પર સૂર્યના કિરણે પણ ન પડે. હંમેશા તારા માથે છત્ર ધરેલું રહે છે. અને ત્યાં જંગલમાં તડકામાં તારી શી દશા થાય? બેટા ! મારા જેવી માને રડતી મૂકીને તારાથી જવાય?” આમ છતાંય આજે અર્જુન મૌન છે. તેની મક્કમતામાં કશે ફરક પડ્યો હોય તેવું લાગતું નથી. મા–બાપની લાગણી સમજવા અજુન તૈયાર છે. પણ આજે તેમની લાગણી પર કેઈ ધ્યાન આપવાની અર્જુનની તૈયારી નથી. એણે તે નિશ્ચય કરી લીધું છે કે નિયમ તૂટે છે, અને મારે જંગ. લમાં જવાનું છે. તેથી જ ધર્મરાજ યુધિષ્ઠિર બોલી ઊઠે છે. “ભાઈલા! અર્જુન ! આ તારે વિરહ માતા–પિતાથી કેવી રીતે ખમાશે ?” જે અત્યારે તું હજી જંગલમાં જવાની વાત કરે છે ત્યાં જ મા–બાપ આવા ઢીલા થઈ ગયા છે. તે બાર વર્ષ કેને કહે છે? દરેક વિધિ અને નિષેધમાં મા–બાપની વડીલોની આજ્ઞા જ સૌથી મોટી આરાધના છે. મા–બાપની આજ્ઞાને ઠેકરે ચઢાવનારને કેઈ કાર્યની સિદ્ધિ થતી નથી અજુન! વિચાર કર.” આ બધું સાંભળવા છતાંય અજુનના મુખ પર કઈ ભાવ બદલાતો નથી. છેવટે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે, “વનમાં જવાની તારી વાત પછી પણ પહેલાં તે નારદમુનિ એ કરાવેલો નિયમ
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy