SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ આવા શુદ્ધ ભાવથી તમે સહસા યુધિષ્ઠિરના શયનગૃહમાં ગયા તેથી કદી નિયમ તૂટે નહીં.” અર્જુન–“પ્રિય નગરજને ! વ્હાલા બંધુઓ ! મારે શું કરવા યોગ્ય છે તે હું જાણું છું. તમે માત્ર મારા વડીલોને મારે અભિપ્રાય જણાવે.” આ સ્વજનોની વિનવણી છોભીલા પડેલા નગરજને સત્વર દોડીને યુધિષ્ઠિરની પાસે પહોંચ્યા. પાંડુ-ભીષ્મપિતામહ અને કુંતીને પણ અજુનના વનવાસના સમાચાર મળ્યા. સહુ એકઠા થયા છે. સહુએ નક્કી કર્યું છે, અજુનને વનવાસમાં જવા જ ન દેવાય.. જાણે આજે આખું ગામ-નગર બહાર ઉમટયું છે. કુરુવંશના બધા વડીલેની હાજરી છે. સહુનું એક જ કહેવું છે, “અમે સમજાવીશું અને અર્જુનને વનમાં જતા રોકીશું.” સહુ પ્રથમ પિતા પાંડુ આવ્યા છે. અર્જુનને હાથ પકડીને કહે છે-“બેટા ! તું અને જંગલ! ચાલ, ભૂલી જા એવી વાત. તું દાદે બને ને, ત્યારે તારા છોકરાઓના માથે જવાબદારી નાંખીને પછી જંગલમાં જજે. આ તે કંઈ તારી ઉંમર છે. જંગલમાં જવાની ? હજી અમારા જેવા જંગલમાં જવાનું વિચાર કરતા હોય તે કંઈક બરોબર કહેવાય. ચાલ....બેટા...ચાલ...આવું ન કરીએ” અને પાંડુનું ગળું ભરાઈ જાય છે. માતા કુંતીની આંખે તે આંસુના તોરણીયા બંધાઈ રહ્યા છે. ગળગળી બની ગયેલી માતા કહી રહી.
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy