SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૧૩૭ ] સંપાદન કરવા માટે, (૪) પિતાના શરીર અને પ્રાણને નિર્વાહ કરવા માટે, (૫) રસ્તામાં ચાલતાં ઈયસમિતિ શોધવા ને આંખનું તેજ ટકાવી રાખવા માટે અને (૬) સુખેસમાધે ધર્મનું આરાધન કરવા માટે. ઉક્ત છ કારણે સંયમધારી સાધુજનને ભિક્ષા લેવી કે આહાર કર ઉચિત લેખાય છે, અન્યથા ઉચિત નથી. એ છ કારણે વગર જુદી દષ્ટિથી વેચ્છા મુજબ કરવામાં આવતી ભિક્ષા સ યમ માર્ગથી ભ્રષ્ટ કરનારી છે. દયાન–ોગની સ્થિતિ. પૂર્વ દિશા કે ઉત્તર દિશા કે ઈશાન કોણ તરફ મુખ રાખીને યાચિત (અનુકૂળ-નિશ્ચિત) સમયે સુખ આસને બેસી પ્રસન્ન મુખ એવા વિક્ષેપ રહિત તેમજ પ્રમાદવર્જિત મુનિએ નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ સ્થાપીને-નેત્ર સ્થિર કરીને ધ્યાન શરૂ કરવું. જે વખતે શારીરિક કે માનસિક કશે ઉપદ્રવ નડે નહીં એવો બનતાં સુધી પ્રભાતનો સમય ધ્યાનને માટે સર્વોત્તમ લેખી નક્કી કરી લે. સ્થાન પણ એવું જ શાન્ત-નિરુપદ્રવ પસંદ કરવું અને સુખે કરી શકાય એવા એકાદ સ્થિર આસને રહી ધ્યાનની શરૂઆત કરવી. ' યાનને ચગ્ય સ્થાન, ઉદ્યાન, કેળનું ઘર, પર્વત ઉપરની ગુફા, દ્વીપ, બે નદીઓને કે સમુદ્રને સંગમ થતો હોય તે સ્થાન, શૂન્ય-એકાન્ત ઘર, પર્વતનું શિખર, વૃક્ષઘટા અને સમુદ્રતટ વિગેરે કે જ્યાં સ્ત્રી,
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy