SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૮ ] શ્રી કપૂરવિજયજી તે આ જન્મમાં દુઃખી થયેલ છે. હવે તેમાંથી સદંતર મુક્ત થવા સદ્ધર્મનું શુદ્ધ ભાવથી સેવન કર. [ જે. ધ. પ્ર. પૃ. ૪૭, પુ.૪૬. ]. વિષય-સુખ. ૧ વિષયસુખમાં આસક્ત બની તું જે ભયંકર પાપકર્મ કરે છે તેનો વિપાક ઉદયમાં આવશે ત્યારે તારું કોણ રક્ષણ કરી શકશે ? કઈ જ નહીં. ૨ સ્વર્ગમાં અનંતીવાર ઇચ્છિત ભેગ ભેગવ્યા છતાં જે જીવ તૃપ્તિ પાપે નહીં તે આ તુચ્છ ક્ષણિક મનુષ્યભેગથી શી તૃપ્તિ પામશે ? તેમ છતાં અજ્ઞાન ને મોહવશ પાછે તેમાં જ આસક્ત થાય છે. ૩ જ્ઞાની પુરુષો વિષયસુખને ઉગ્ર વિષ સમાન સમજી તજવા ફરમાવે છે. ૪ વિષયસુખ સાચું સુખ નથી, તેનાથી થતા કર્મબંધન વડે જીવ ભારે દુઃખમાં પડે છે. ૫ હે જીવ! ઉન્માર્ગે જતાં ઈન્દ્રિયરૂપી અને વૈરાગ્યરૂપી લગામવડે ખેંચીને નિશ્ચળ (સ્થિર) કર અને તેને સન્માર્ગે પ્રવર્તાવ. ૬ કષાયને વશ થયેલા પ્રાણીઓને વિષયમાં પ્રવર્તેલી ઈન્દ્રિયે જ દુઃખદાયી શત્રુઓ છે. તેથી જ વૈરાગ્યવડે તેનાથી વિરમવું જોઈએ.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy