SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૭ : [ ૨૦૫ ] ચÀાવિજયજી કહે છે કે– શક્તિ અનુસારે એવું જ તપઆચરણ કરવું કે તેમાં દુર્ધ્યાન તે ન જ થાય. નખળા હલકા વિચાર ન આવે, પણ પવિત્ર વિચાર પેદા થાય, અંતરની શુદ્ધિ થાય, જેથી સ્વકર્તવ્ય કર્મો શુદ્ધ ભાવે કરાય, તેમાં કશી ખામી ન આવે, તેમજ આત્મ-સાધનમાં સહાયકારક ઇન્દ્રિયાની ક્ષીણતા થવા ન પામે. વળી જે તપ આચરણ સેવતાં આત્મસ્થિરતા–રમણુતા જાગે, જિનેશ્વર પ્રભુ પ્રત્યે અધિકાધિક પ્રેમ પ્રગટે, તેમના કેવળજ્ઞાનાદિક ગુણા પ્રત્યે અંતરમાં બહુમાન જાગે અને એવા જ ઉત્તમ ગુણે! આપણામાં ગુપ્ત રહેલાં છે તેમને પ્રગટ કરવા દર્શન, જ્ઞાન ને ચારિત્રરૂપી રત્નત્રયીનું યથાવિધિ સેવન કરવા તત્પર થવાય-તેમાં આળસ કે બેદરકારીપણું રહેવા ન પામે, ક્રોધાદિક ચારે કષાયેા પાતળા પડે એ રીતે વર્તાય એટલે ક્ષમા, નમ્રતા, સરલતા ને સતાષાદિ ગુણમાં વધારા થાય અને જિનેશ્વર દેવની અત્યંત હિતકારી આજ્ઞાનું ઉલસિત ભાવે ઉપયેાગ સહિત પાલન કરવાનું ન જ ભૂલાય. એવા પ્રકારનું વિવેકભર્યું નિ:સ્વાર્થ પણે તપનુ સેવન કરાય તે તે શુદ્ધ ને કલ્યાણકારી લેખાય. તે સિવાયનું આજ્ઞાવિરુદ્ધ જે સ્વેચ્છાએ તપનુ સેવન કરાય તે કલ્યાણકારી લેખી ન જ શકાય, એમ સમજી સર્વ શ્રેયકારી શાસ્ત્રમર્યાદા યુક્ત શુદ્ધ તપ-ધર્મનું સેવન સહુએ સાવધાનપણે કરવું. સમતા સહિત કરવામાં આવતા તપવડે નિકાચિત કર્મોના પણ ક્ષય થઈ શકે છે, શુદ્ધ તપના પ્રભાવથી દ્રવ્ય-ભાવ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, ભવસંતતિના ક્ષય થાય છે, રાગનું નિર્મૂલન થાય છે, કના અંત થાય છે, વિઠ્ઠો વિસરાળ થઈ જાય છે, ઇન્દ્રિયાનું દમન થાય છે, મંગળમાળા વિસ્તરે છે,
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy