SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ]. શ્રી કરવિજયજી ૩ સુકુળમાં અવતરી, બહુ વિનય–વૈયાવચ્ચ તથા બહુકાળ દીક્ષા પાલન સાથે શાસ્ત્રપરિચય કરનારને શેચવું ન પડે. ૪ સ્થવિર-વયમાં સાઠ વર્ષની વયથી, જ્ઞાનમાં આચારાંગાદિના જાણપણથી અને ચારિત્રમાં ૨૦ વર્ષના દીક્ષા પર્યાયથી લેખાય. ૫ ત્રણ પ્રકારના ઈન્દ્રો-જ્ઞાનેન્દ્ર કેવળજ્ઞાની, દર્શનેન્દ્ર ક્ષાયિક સમકિતી ને ચારિત્રેદ્ર યથાખ્યાત ચારિત્રી જાણવા. ૬ શ્રાવકના ચાર વિસામા–૧ વ્રત ઉચ્ચરે, ૨ સામાયિકાદિક કરે, ૩ પંચપર્વો પૈષધ કરે અને ૪ અંતસમયે અનશન આદરે. છ અનર્થદંડવિરમણ–પાપપદેશ, દુર્ગાન, સંયુક્તતા અધિકરણ અને પ્રમાદાચરણ–આ ચાર પ્રકારથી ભવભીરુ જીવ વિરમે. ૮ આચાર્ય–૧ ચોળમજીઠ જેવા વૈરાગ્ય રંગથી સ્વપરને રંગનારા, ૨ પરવાળા જેવા પિતાને રંગે, પરને નહીં, ૩ ચૂના જેવા પોતે વૈરાગ્યે ઢીલા છતાં પરને દઢ કરનારા અને ૪ ખડી જેવા પોતે પણ ઢીલા ને પરને પણ વાસિત કરવામાં ઢીલા એમ ચાર પ્રકારના હોય. ૯ “માન માનવને હય દુરિત શિરતાજ એ”—આ વાકયને અર્થ સમજી બને તેટલી નિઃસ્વાર્થ સેવાભક્તિવડે માનને જય કરવો ઘટે. ૧૦ અજીર્ણ-જ્ઞાનનું અજીર્ણ અભિમાન, તપસ્યાનું ક્રોધ, ક્રિયાનું પારકી નિંદા અને ભેજનનું વમનાદિ અજીર્ણ જાણવું. ૧૧ ગુરુ અને શિષ્ય પરિવાર બંને ઉત્તમ અનુત્તમના સંબંધમાં ચઉભંગી સમજી લેવી.
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy