SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૬ ] શી કપૂરવિજયજી (માલિની વૃત્ત) નિષધ સગર રાયા, જે હરિભદ્ર ચંદા, તિમ દશરથ રાયા, જે પ્રસન્ના મુનીંદ્રા; મનક જનક જે તે, પુત્રને મોહ ભાર્યા, સ્વ સુત-હિત કરીને, તેહને કાજ સાર્યા. ૧૯ જે પિતાના બાળ-સંતાનને પોતે જ ભાઈ-બાપુ કહીને રમાડે છે, ઉમર થતાં તેમને ગ્ય વિદ્યા ભણાવે છે અને તેમને સારું સારું મનગમતું ભેજન જમાડે છે, એવા ઉપકારી પિતાને કંઈ પણ પ્રત્યુપકાર કરી શકાય તો તે એ જ કે પોતાના ઉપકારી પિતાની સેવાભાક્ત ચીવટ-બંત રાખીને કરવી અને તેમની આજ્ઞાનું યથાર્થ પાલન કરી તેમનું દિલ પ્રસન્ન રાખવું. વળી પાકનું સાધન કરવામાં જે પ્રકારની સહાયની જરૂર હોય તે કૃતજ્ઞતાથી વિલંબ કર્યા વગર આપી તેમનું હિત કરવા કદાપિ ચુકવું નહિ. વળી આપણે પોતે એવું પવિત્ર આચરણ સેવવું કે જે દેખી માતપિતાના દિલમાં પ્રમોદ-આનંદ થાય. ટુંકાણમાં પિતાનું કુળ દીપી નીકળે એવું રૂડું પ્રવર્તન-વર્તન આળસ– પ્રમાદ તજીને સાવધાનપણે કરવું આગળ ઉપર થયેલા નિષધ, સાગર, હરિભ, ચંદ્ર. દશરથ અને પ્રસન્નચંદ્ર મુનીશ્વર તથા મનકમુનિના પિતા શ્રી શઐભવસૂરિ જેવાઓને જે કે પુત્રમોહ ઓછો નહોતા પરંતુ જેમની દષ્ટિ સમ્યગ હોય છે તે પિતાએ જેથી સ્વપર. હિતની સિદ્ધિ થવા પામે એવું આચરણ કરવા ચૂકતા નથી. ખરા પુત્રવત્સલ માતપિતા એવું જ પવિત્ર લક્ષ રાખીને પિતાની સંતતિને કેળવે છે કે તે સંતતિ આગળ જતાં તેમનું પિતાનું, માતાપિતાનું, કુટુંબીજનોનું અને અનુક્રમે જ્ઞાતિનું
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy