SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૧૩૭ ] તે પિતાની સજજનતા તજે નહીં જ. સન્ત મહાત્માઓ એવા જ ઉત્તમ હોય છે. તેઓ ચંદ્રમાની જેવા શીતળ, સાગરની જેવા ગંભીર અને ભારેડ પંખી જેવા પ્રમાદરહિત હોય છે. તેઓ હિંસાદિક પાપમાત્રના ત્યાગી અને અહિંસા, સત્યાદિક મહાવ્રતના ધારક હોય છે. રાજા અને રંક, તૃણ અને મણિ, કનક અને પત્થર એમને સમાન ભાસે છે. મમતા રહિત થવાથી તેમને સહુના ઉપર સમાનભાવ હોય છે. વળી માન-અપમાન, નિંદા-સ્તુતિ તરફ તેઓ લક્ષ દેતા નથી, તેથી તે હર્ષ–શકને પ્રાપ્ત થતા નથી. દુનિયામાં સઘળી શુભ ઉપમા એમને છાજે છે. એવા નિઃસ્પૃહી, સત્યનિષ્ઠ સાધુ–મહાત્માનું એકનિષ્ઠાથી શરણ લેનાર સુભાગી જનેનું શ્રેય થાય જ. ૧૧. સપ્ત વ્યસન જુગાર પ્રમુખ સાત દુર્બસને ટાળી સુમાર્ગે ચાલવા હિતોપદેશ. (માલિની વૃત્ત ) નલિન મલિન શેભા, સાંજથી જેમ થાયે, ઈહ કુવ્યસનથી દું, સંપદા કીતિ જાયે; કુવ્યસન તિણિ હેતે, સર્વથા દૂર કીજે, જનમ સફળ કીજે, મુક્તિકાંતા વરીએ. ર૧ ( કુતવિલંબિત વૃત્ત ) સુગુરુ દેવ જિહાં નવિ લેખ, ધન વિષ્ણુ સહુએ વિણ લેખ, ભવભવે ભમવું જિણ ઊવટે, કહોને કેણ રમે તિણ જૂવટે ૨૨ ( ધૃત-૧)
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy