SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૪] શ્રી કરવિજયજી વડે વૃક્ષ શોભે છે, તેમ સુંદર નીતિથી ઉપાર્જન કરેલા દ્રવ્યવડે મનુષ્ય ઘણી શોભા પામે છે, પણ જેમ જળ વગરનું સરેવર, પત્ર પુષ્પાદિક વગરનું વૃક્ષ, તિલક વગરનું કપાળ, ન્યાય વગરનું રાજ્ય અને શીલ વગરની યુવતી–સ્ત્રી શોભતા નથી, તેમ દ્રવ્ય વગર ગૃહસ્થ શભા પામતો નથી. માઘ જેવા મહાન પંડિત કવિઓ પણ દ્રવ્ય વગર છેવટે ટળવળતા મર્યા છે, તેથી સગ્ગહસ્થ ભવિષ્યનો વિચાર કરી સારા માર્ગે દ્રવ્ય ઉપાર્જન કરી રાખવું ઉચિત છે. પિતાની આબરૂ છેવટ સુધી સાચવી રાખી સંસારમાં સુખી થવાને એ જ સારે રસ્તો છે. સઉપાય સેવન કરતા છતાં પૂર્વકૃત અંતરાય કર્મના ઉદયથી દ્રવ્ય-પ્રાપ્તિ ન થાય અથવા અલ્પ થાય તો તે શેચવા ગ્ય નથી. ભાગ્યમાં હોય તેટલું જ દ્રવ્ય ઉદ્યમ કરતાં સાંપડે છે, તે પછી નીતિનો માર્ગ તજી શા માટે અનીતિને માર્ગ લે જોઈએ? અનીતિનું દ્રવ્ય લાંબે કાળ ટકતું પણ નથી અને સુખે ખવાતું કે સન્માર્ગે વપરાતું પણ નથી, ઊલટી બુદ્ધિ બગાડી તે ઉન્માર્ગે દોરી જઈ જીવને દુઃખી કરી મૂકે છે. કઈ પ્રકારનાં કુવ્યસન (પરસ્ત્રી-વેશ્યાગમનાદિ) સેવવા એ પણ દ્રવ્યહાનિવડે શીધ્ર નિર્ધનતા પેદા કરવાના જ ઉપાય છે, એમ સમજી જદી એથી અલગ થઈ જવું.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy