SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૧૨૩ ] ૬. સદુપાયથી દ્રવ્યપ્રાપ્તિ. સદુપાયવડે નિધનતા દૂર કરી સદ્રવ્ય પ્રાપ્ત કરી લેવા હિતોપદેશ. ધન વિણ નિજ બંધુ, તેહને દૂર છેડે, ધન વિણ ગૃહભાર્યા, ભસેવા ન મ; નિરજળ સર જેવ, દેહ નિર્જીવ જેવો, નિરધન તૃણ જે, લોકમાં તે ગણે. ૧૧ સરવર જિમ સેહે, નીરપૂરે ભરાયે, ધન કરી નર સેહે, તેમ નીતે ઉપાયો ધન કરિય સુહતો, માઘ જે જાણ હું, ધન વિણ પગ સૂજી, તેહ દીઠે મરતો. ૧૨ દ્રવ્યપ્રાપ્તિ વગર નિર્ધન માણસને કઈ આવકાર આપતું નથી. બંધુ-સહોદર પણ તેનો સંગ-પ્રસંગ રાખતા નથીતેનાથી અળગા થઈ રહે છે અને ઘરની ભાર્યા (ગૃહિણી ) પણ ભાવથી તેની સેવા-ચાકરી કરતી નથી, તો પછી પુત્રપરિવારનું તો કહેવું જ શું ? ધન-સંપત્તિ વગરનો નિર્ધન માણસ જળ વગરના સૂકા સર–સરોવર જે, જીવ વગરની નિર્માલ્ય કાયા જેવો અને અહીંતહીં અથડાતા અસાર તણખલા જેવો જગતમાં હલકે દેખાય છે–ગણાય છે. જેમ નિર્મળ જળસમૂહથી સરવર શોભે છે, તેમ મનુષ્ય પણ ન્યાય, નીતિ અને પ્રમાણિકપણાથી ઉપાર્જિત કરેલી લક્ષ્મીવડે શોભા પામે છે. જેમ સુંદર શાખા, પત્ર, પુષ્પ અને ફળ ૧ નીતિએ ઉપાર્જન કરેલ. ૨ માઘપંડિત દાતા હતા.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy