SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૦ ] શ્રી કરવિજયજી ક્ષય થયે તે ધન પગ કરી નાશી જાય છે. પછી કહેવાય છે કે “આવ્યું હતું બાંધી મુઠે અને જાય છે ખાલી હાથે. ” શ્રીમાન છતાં કૃપણ લેકો લક્ષમીની ચપળતાને કંઈક વિચાર કરી તેને સારે ઠેકાણે ઉપયોગ કરી લેવા ધારે તે તેથી તેઓ અપાર લાભ મેળવી શકે. કઈ સદગુરુ નિઃસ્પૃહી મહાત્માના અનુગ્રહથી કદાચ એવી સદ્બુદ્ધિ જાગે તો કેટલું બધું સ્વપરહિત થઈ શકે? કરકસરના નિયમોને દઢપણે પાળનાર ઉપર કઈ કોઈ વખતે કૃપણતાને આરોપ લકે ઠોકી બેસાડે છે, પણ તે વ્યાજબી નથી, ખરી રીતે તે આવા જ માણસો વધારે ડાહ્યા અને દીર્ધદશી હોવાથી તે પિતાના ઉપાર્જિત દ્રવ્યને ખરી તકે સદુપયોગ કરવા ચૂકતા નથી. કૃપણ અને કરકસરથી કામ કરનારમાં આ મહાન અંતર છે. કૃપણ દ્રવ્ય ઉપર ખોટી મમતા રાખ તેનો સંચય કરવામાં જ સાર સમજે છે, જ્યારે કરકસરના નિયમોને સમજનાર સુજ્ઞ જને સંચિત ધનને સારામાં સારો ઉપયોગ કરવામાં સાર સમજે છે. કૃપણપણાથી નવ નંદ રાજાઓએ સોનાના ડુંગર કરાવ્યા હતા, તે કંઈ તેમના કામમાં આવ્યા ન હતા. દેવતાઓએ તે અપહરી લીધા હતા, અને ઊલટા મમતાવડે તે ઘણું દુઃખ પામ્યા હતા એમ સમજીને કૃપણુતા દોષને તજી ઉદાર દિલથી મેઘની પેઠે દાન દઈ લેકનું દારિદ્રય દૂર કરી પ્રાપ્ત થયેલ લેમીને અને સ્વજન્મનો લાહ લઈ લે યુક્ત છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy