SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) વિશ તીર્થકરોની નિર્વાણભૂમિ તરીકેનું અનુપમ માન જેને પ્રાપ્ત થયું છે એવા પવિત્ર તીર્થ શ્રી શિખરજીની યાત્રામાંથી પાછા ફરી વિહરતાં તેઓ મહેસાણા આવ્યા. શેઠ વેણચંદભાઈ સુરચંદ મુનિશ્રીના ચુસ્ત ભક્ત હતા. જેને શ્રેયસ્કર મંડળની સ્થાપના તેમજ તેના દ્વારા “ જેનહિતબોધ ” નામના પુસ્તકના ત્રણ ભાગ પ્રગટ કરવામાં મુનિશ્રીની પ્રેરણા જ કાર્ય કરી રહી હતી. વળી સાગરના પાટીયાવાળા સાથે શેઠ વેણચંદભાઈ આદિને વ્યાખ્યાનસ્થાન માટે મતભેદ થતાં કલેશ ઉદ્ય સ્વરૂપ લે તેવું લાગતાં જ મુનિશ્રીએ વિહાર કરી જવાની તૈયારી કરી અને સ્પષ્ટ સંભળાવી દીધું કે મારા નિમિત્તે તમે આવી રીતે ઝઘડે કરે એ હું પસંદ કરતો જ નથી. મુનિશ્રીના આ હૃદયસ્પર્શી ઉદગારો સાંભળતાં જ ઉભય પક્ષ નરમ પડ્યા અને એકમત ઘઈને નિયત (સાગરની પાટે ) સ્થળે જ વ્યાખ્યાન ગોઠવ્યું. શ્રી શંખેશ્વરજી, શ્રી કેશરીયાજી, શ્રી તારંગાજી, શ્રી આબુજી અને દૂરના શ્રી ભદ્રેશ્વરતીર્થની મહારાજશ્રીએ યાત્રાઓ કરેલી. એ વેળા જેઓ સાથે હતા તેઓ જાણું શક્યા કે તીર્થયાત્રા કેવી રીતે કરવી, કેવા ભાવથી કરવી, અને એ દ્વારા આત્મજાગ્રતિ કેવા પ્રકારે સાધવી. એમાં શ્રી કપૂરવિજયજી મહારાજ કેટલી હદે આગળ વધ્યા હતા એ ભિન્ન ભિન્ન સમયે થયેલા જુદા જુદા અનુભવ અને કરેલી વિવિધ વિચારણાઓના દેહનરૂપે “ શત્રુંજય મહાતીર્થાદિ યાત્રા વિચાર” નામની તેમની લઘુ પુસ્તિકા વાંચવાથી માલૂમ પડી આવે છે. તેઓશ્રીના જીવનનો પાછલો સમય તીર્થાધિરાજ શ્રી શત્રુજયની શીતલ છાયામાં–શ્રી યુગાદિજિનેશની સાનિધ્યમાં–મેટા પ્રમાણમાં વ્યતીત થયેલ છે. જ્યારે સિદ્ધાચળજીની યાત્રા બે
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy