SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) જ્યાં વિચર્યા છે ત્યાં ત્યાં ધર્મકરણી ને આત્મકલ્યાણ સિવાય ભાગ્યે જ બીજી વાત ઉદ્દભવી છે. પિતાનામાં રહેલ બાધ દેવાની વિધાનાત્મક પદ્ધતિવડે તેઓએ પ્રભુશ્રી મહાવીર દેવના ઉમદા ને ઉદાર તનું જનતાને પાન કરાવ્યું છે. તે સાથે હાનિકારક રૂઢિયોને તિલાંજલી આપવાનું અને જીવની જેનાથી જયણા પળાય તેમ જ જેના પાલણથી શરીરસ્વાથ્યની રક્ષા થાય એવા નિયમો આપવાનું કાર્ય પરમાર્થવૃત્તિએ બનાવ્યું છે. પરોપારા સત્તાં વિમૂતઃ એ વાક્ય જીવનમાં ઉતારી બતાવ્યું છે. કાશી જેવા દૂરના સ્થળમાં સ્થાપવામાં આવેલી જેન પાઠશાળામાં તેમના સરખા ચારિત્રસંપન્ન મહાત્માની અગત્ય જણાતાં સંસ્થાના સ્થાપક ગુરુભાઈ શ્રી વિજયધર્મસૂરિજીના ઉપરાઉપરી પત્ર આવવાથી તેમજ પાઠશાળાના ટ્રસ્ટી શેઠ વીરચંદભાઈ દીપચંદ. સી. આઈ. ઈ.ના આગ્રહથી સ્ત્રી-પુરુષના નાનકડા સંઘ સાથે વિચરતા તેઓ કાશી પહોંચ્યા. બહુમાનપૂર્વક સામૈયું કરી પાઠશાળાના મકાનમાં પ્રવેશ કરાવવામાં આવ્યું. એ સ્થાનમાં કેટલાક સમય વીતાવ્યા બાદ સાધુને ધર્મ ઉપદેશ કરવાને છે પણ આદેશ કરવાનો નથી એ મંતવ્યના સંબંધમાં ગુરુભાઈ સાથે મતભેદ થતાં ત્યાંથી તેઓ શ્રી સમેતશિખરજી તરફ વિહાર કરી ગયા. દીક્ષા લીધા પછીની તેમની સંસાવિરક્તિ નિહાળી શ્રી કેવળવિજયજી દાદા તથા પં. ગંભીરવિજયજી તે તેમને “અદ્ભુત ગી” તરીકે બોલાવતા, પણ સમેતશિખરના પહાડમાં પિતાની જેવા જ વિરક્ત શિષ્યયુગલ સહ કાર્યોત્સર્ગ મુદ્રામાં રહેલા ત્યારથી તેઓ “યેગી ” તરિકે વધારે પ્રસિદ્ધ થયા. પૂર્વે થઈ ગયેલા શ્રીમદ્ આનંદઘનજી અને શ્રી ચિદાનંદજી મહારાજની તેઓશ્રીને જોતાં સ્મૃતિ તાજી થવા લાગી.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy