SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૧૦૯ ] જે સદા ય શુદ્ધ ભાવથી જિનેશ્વર દેવની સેવાભક્તિ કરે અને પ્રભુના પાત્ર ઉપદેશ અનુસારે ગૃહસ્થ ગ્ય અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતને ધારે તે ચરમ તીર્થકર શ્રી મહાવીર દેવે પ્રશંસેલા, અને સદ્ધમેં વાસિત થયેલા આનંદ, કામદેવ પ્રમુખ ઉત્તમ સમકિતવંત અને સત્વવંત શ્રાવકોની પેઠે પ્રશંસાપાત્ર થાય છે. જે સદગુરુને સમાગમ કરી વિનય-બહુમાનપૂર્વક તત્વશ્રવણ કરે છે અને નિજ હિત કર્તવ્યને નિશ્ચય કરી સન્માર્ગનું સેવન કરે છે તે શ્રાવક કહેવાય છે. અથવા શુદ્ધ શ્રદ્ધા, સર્વિવેક અને સક્રિયાનું જે યથાવિધિ સેવન કરે છે તે શુભાશયે શ્રાવકની ખરી પંક્તિમાં લેખાય છે. તથા પ્રકારનાં સગુણ વગરનાં જે હોય તે દ્રવ્યશ્રાવક કહેવાય છે, શ્રાવક ગ્ય ઉત્તમ ગુણોથી અલંકૃત હોય તે ભાવશ્રાવક ગણાય છે, અને જે ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સ્વસ્વ અધિકાર અનુસારે વીતરાગ શાસનની ઉન્નતિ–પ્રભાવના કરવા તન, મન અને ધનથી પ્રવૃત્તિ કરે છે તે પરમ શ્રાવકની પંક્તિમાં લેખાવા યોગ્ય છે. સામાન્ય શ્રાવકોએ પણ વ્યવહારશુદ્ધિ રાખવા, મિથ્યાત્વવૃદ્ધિકારક કિયા તજવા અને ગુણમાં આગળ વધવા અવશ્ય લક્ષ રાખવું જોઈએ. દશ દષ્ટાન્ત દુર્લભ મનુષ્યજન્માદિ ઉત્તમ સામગ્રી પામી, પ્રમાદવશ પડી તેને નિરર્થક કરી નહિ દેતાં જેમ બને તેમ વિષયકષાયાદિ પ્રમાદાચરણ તજીને સુશ્રાવકને છાજે એવા આચારવિચાર સેવવા ઉજમાળ થવું ઘટે છે. પૂર્વ
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy