SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૯ ] કરીને માગવા ઉપર રાખી, જ્યારે પોતે વિચાર કરવા બેઠો ત્યારે તેની ઈચ્છા આકાશ જેવી અનંતી થઈ ગઈ–ઈરછાને અંત જ ન આવ્યું. છેવટે તે પ્રતિબંધ પાપે, એમ સમજીને કે આખરે સંતોષમાં જ સુખ છે. વળી ભમરા જે ફૂલમાં બંધાઈ રહે છે તે પણ અસંતોષવડે જ, એમ સમજી સુજ્ઞજનએ પરપ્રૂડા–વિષયતૃષ્ણા તજી સંતેષ ગુણ સેવવા આદર કર યુક્ત છે. શાસ્ત્રકારે ચોગ્ય જ કહ્યું છે કે “ પરપૃહા મહાદુઃખરૂપ છે અને નિ:સ્પૃહતા મહાસુખરૂપ છે.” એ વચનનું ઊંડું રહસ્ય વિચારી નિઃસ્પૃહતા આદરવી યુક્ત છે. લોભવશ નંદરાજાએ સોનાની ડુંગરીએ કરાવી પણ તે તેના કશા કામમાં ન આવી. દેવતાએ તે અપહરી લીધી અને પોતે ફોગટ મમતા બાંધીને દુઃખી થયો. લોભ સર્વ ભક્ષક અગ્નિ સમાન છે, તે સર્વ સુખનો નાશ કરી પ્રાણીને દુઃખ માત્ર આપે છે. જેમ ઇંધનથી આગ તૃપ્ત થતી નથી તેમ જીવને ગમે તેટલી દ્રવ્યસંપત્તિથી સંતોષ વળતું નથી. અસંતોષી જીવ ઉન્મત્તની પેઠે ગમે તેમ બોલતા ફરે છે અને ગમે તેવી પાપચેષ્ટા કરે છે. આવા જીવની અંતે બૂરી ગતિ થવા પામે છે. જેમ જળવડે અગ્નિ શાંત થાય છે તેમ જ્ઞાન–વૈરાગ્યવડે તૃષ્ણાદાહ ઉપશમે છે અને શાંતિ-સંતોષ પ્રગટે છે. ભૂમિ ઉપર શય્યા, ભિક્ષાવૃત્તિથી આહાર, જીર્ણપ્રાય વસ્ત્ર અને એકાંત વનવાસ છતાં નિ:સ્પૃહી સાધુ–મહાત્માને ચક્રવત્તી કરતાં પણ સંતોષગુણવડે અધિક સુખ હોય છે. તેઓ શમ અને સંતોષ સામ્રાજ્યવડે જ ખરેખર સુખી છે, જ્યારે પરિગ્રહ-મમતાથી ભરેલા ઈન કે નરેન્દ્ર પણ અસંતુષ્ટપણાવડે ઊલટા દીન-દુઃખી જ દેખાય છે. ધન, ધાન્ય, પુત્ર,
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy