SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કરવિજયજી સ્મારક સમિતિ સન્મિત્ર, સગુણાનુરાગી પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજી જેઓ સં. ૧૯૯૩ ના આસો વદિ ૮ મે દેહમુક્ત થયા તેમની પહેલા વર્ષની પુણ્યતિથિ ઉજવવાને મુંબઈમાં ગોડીજીના ઉપાશ્રયમાં અનુગાચાર્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવરના પ્રમુખ પણ નીચે એક સભા સં. ૧૯૪ ના આસો વદિ ૮ ના રોજ મળી હતી. તે વખતે શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરી તરફથી સૂચના થતાં એમ નિશ્ચય થયા કે “એ પુણ્યપુરુષનું નામ કઈ સ ગીન પેજના કરીને ચિરસ્થાયી કરવું.” પછી શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરીએ એને માટે જે ફંડ થાય તો રૂા. ૧૦૧) ભરવા ઈચ્છા દર્શાવી. તે વાતને પુણ્યાત્મા પૂજ્ય કપૂરવિજયજીના ગુણેથી અતિશય આકર્ષાયેલ ચિત્તવાળા પંન્યાસજી પ્રીતિવિજયજીએ ટેકો આપે અને પિતાથી બની શકતી દરેક જાતની સહાય આપવા તત્પરતા બતાવી. તે મીટિંગમાં શેઠ મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મોહનલાલ દીપચંદ ચેસી, રાજપાળ મગનલાલ વહોરા, નરોત્તમદાસ ભગવાનદાસ શાહ તથા વાડીલાલ જેઠાલાલ શાહે સમાચિત ભાષણે કર્યા તેથી પંન્યાસજી બહુ પ્રસન્ન થયા અને પિતાથી બની શકે તેવા શ્રાવકો પર આગ્રહ પૂર્વક લાગવગ ચલાવી, અને પરિણામે સારી રકમો ભરાઈ. સમિતિનું કામ નાણા ભરનારા સભ્યની મીટિંગમાં નીમાએલી વ્યવસ્થાપક સમિતિ કરે છે. તેમાં નીચેના ગૃહ છે. ૧ મેતીચંદ ગિરધર કાપડીઆ. ૪ વાડીલાલ જેઠાલાલ શાહ. ૨ વાડીલાલ ચર્તુભુજ ગાંધી. ૫ હીરાભાઈ રામચંદ મલબારી ૩ મોહનલાલ દીપચંદ ચેકસી. ૬ નરોત્તમદાસ ભગવાનદાસ શાહ ૭ રાજપાળ મગનલાલ વહેારા
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy