SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ. | [ ૧૪૩ ] વળી અરિહંતાદિક પૂજ્ય પદોને પંચવિધ અનુકૂળ વિનય કરે કહ્યો છે– ૧ તેમને નિર્દોષ અન્નાનાદિકથી પડિલાવા, સુખશાતા પૂછવી, ઔષધ-ભેષજ વિગેરેની જરૂર જણાય તે અવસરે ગવેષણાપૂર્વક આછું આપવું, વંદન કરવું, વિશ્રામણા (પગે ચાલતાં લાગેલે થાક દૂર કરવા જરૂર જણાય તો ) કરવી, કૃતજ્ઞતાવડે પિતાનાથી બની શકે તે પૂજા-અર્ચના કરવી. ૨ તેમના અપાર ગુણેનું સ્મરણ કરી હૃદયમાં ઉલ્લસિત થવું, ગુણનું બહુમાન કરવું અને બની શકે તેટલું સદ્વર્તનનમ્રતાદિક ધારીને તે તે ગુણોનું અનુકરણ કરવા પ્રયત્ન એવ. ૩ તેમના સગુણાની મુક્તક ઠે પ્રશંસા કરવી, પિત તેવા ગુણોનું સેવન કરવા બનતું લક્ષ રાખવું અને અન્ય જનો પણ એવા ઉત્તમ ગુણ આવા આકર્ષાય તેવી રીતિનીતિ સેવવી. ૪ છઘસ્થતાગે તેમનાથી કંઈ ખલના થઈ જાય, ઉપગની ઓછી જાગૃતિથી કંઈ બોલવાચાલવામાં ભૂલ પડી જાય તો તેથી એક બાળકની જેમ હસવું નહિ, તેમજ તેવી કેઈ નજીવી ભૂલને લઈને મહાશયેની હેલના–નિંદાદિક કરવી કરાવવી નહિ; પણ તેવી ભૂલ જાણે પોતે જોઈ જાણ જ ન હોય તેમ ગંભીરતા આદરી તેમના પ્રત્યેની પ્રેમ-ભક્તિમાં કશી ખામી આવવા દેવી નહિ; એટલું જ નહિ પણ કોઈ અજ્ઞજનો બાળબુદ્ધિથી તેવા મહાશયનું કંઈ છિદ્રાદિક જતા હોય તો તેમને સમજાવી ઠેકાણે પાડવા; પરંતુ તેની ઉપેક્ષા કરી પાપવૃદ્ધિ થવા દેવી નહિ. શક્તિ હોય તો તેને ઉપાય જરૂર કરે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy