SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ . આ પ્રથમ વિભાગમાં સદ્ગુણાનુરાગીના “ શ્રી જૈન ધર્મ પ્રકાશ માં આવેલા લેખોનો સંગ્રહ છે. એની પ્રસિદ્ધિની તારીખેા જોતાં લેખક તરીકે શ્રીયુતનો ક્રમસર કેટલા વિકાસ થયેા છેતે જોવામાં આવશે. આ ગ્રંથમાળામાં સદર માસિકમાં પ્રકટ થયેલા તથા અન્ય માસિકેામાં બહાર પડેલા લેખા પ્રકટ થશે. એ લેખામાં વિવિધતા છે, છતાં સાથે દરેક લેખના અંતરમાં નિવેદની સાપેક્ષ દૃષ્ટિ અને સાધનને વિશુદ્ધ ઉપયાગ કરવાનુ દિશાસૂચન બરાબર તરવરી આવે છે. લેખક મહાત્માનો જીવનઉદ્દેશ ‘ સાધ્યપ્રાપ્તિ ’ નો હતેા અને તે માટે તેએએ તૈય, ધ્યેય અને અનુધ્યેય માર્ગો અનેક રીતે બતાવ્યા છે એ દરેક વર્ગોના મુમુક્ષુને લાભપ્રદ નીવડે તેવા છે. ક્રિયારુચિવાનને એમાં ઘણું સમજવા જેવુ મળશે, જ્ઞાનરુચિવાળાને એમાંથી ઘણું જાણવા જેવું મળશે અને સંસાર સિને એમાં સાધનનું માદન સ્પષ્ટ રીતે થઇ આવશે. લેખામાં વૈવિધ્ય છતાં સાધ્યને માગે પ્રગતિનો મુદ્દો દરેકમાં જળવાયે અને તે દૃષ્ટિએ લેખા કથાનુયાગ જેવા રસ ન ઉત્પન્ન કરે તે પણ અત્યંત ખાધપ્રદ હાઈ અતિ શિક્ષણીય છે, વિચાર કરીને વાંચવા યેાગ્ય છે, પુનરાવર્તન કરીને મનન કરવા યેાગ્ય છે, આંતર આનંદ જમાવી જીવવા યેાગ્ય છે. વિષયાનુક્રમ સળંગ અને વિષયવાર આપ્યા છે. તેથી વાંચનારને ઘણી સરળતા થશે. ભવિષ્યમાં ઉપયેગી થાય તેવી સૂચનાનો ઉપયેગ સમિતિ જરૂર કરશે. છૂટા લેખા પ્રકટ થયા પછી ફંડની અનુકૂળતા પ્રમાણે સદ્ગતના પ્રથા પણ પ્રકટ કરવામાં આવશે. આ ગ્રંથમાળાને સ્વરૂપ આપવામાં પ્રેરણાપૂર્વક ફંડ ભરાવવાને ઉપદેશ કરનાર અને ચીવટપૂર્વક ગ્રંથપ્રસિદ્ધિ જલદી કરવાના આગ્રહ ધરાવનાર પૂજ્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજીનો આભાર સ્વીકાર સ્મારક સમિતિ તરફથી કરવાની આ તક ઉચિત માનુ છુ. તેએશ્રીનો સન્મિત્ર તરફ ગુણાનુરાગ, વારવાર તેમને દાદા ના ઉપનામથી • "
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy