SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કપૂરવિજયજીના લેખા બરાબર આવે છે, તે જરા ભાષાષ્ટિએ ઊંડા ઉતરનાર સમજી શકશે. આ નજરે પણ એ છૂટાછવાયા લેખાને સ્થાયી રૂપ આપવું ખૂબ સુયેાગ્ય લાગ્યુ છે. કેટલાંક પુસ્તકા એક વાર વાંચી મૂકી દેવા જેવાં હાય છે, કેટલાંક પરાવર્તન કરી ગળે ઉતરવા ચાગ્ય હોય છે અને બહુ થોડાં વારવાર પુનરાવર્તન કરી પચાવવા યેાગ્ય હોય છે. પૂજ્ય સન્મિત્રનાં લેખા આ ત્રીજી કક્ષામાં આવે છે, એ વિચાર કરવાથી સમજી શકાય તેવી હકીકત છે. શ્રીમાન કપૂરવિજયજી જેમ ખેલવામાં સયમી હતા તેમજ લખવામાં પણ સંયમ રાખતા હતા. એમને કાગળ નકામા બગાડવા પોષાતા નહાતા, તેમ લખવા ખાતર લખવાનું પસંદ નહાતું. એટલે એમના શાંતજીવનના સારરૂપ તેઓશ્રી જે લખતા તેમાં સાધ્યની સ્પષ્ટતા અને વિચારની ગંભીરતાને અગ્રસ્થાન મળતુ. યેાગજીવનને જીવન્ત કરાવતુ અને છતાં શુદ્ધ વ્યવહારની દિશા બતાવતું તેએનું સાહિત્ય એક સ્થાને એકત્રિત થાય અને ચિરંજીવ થાય તે તેનાથી અનેકવિધ લાભ થવાને પૂરા સંભવ હાવાથી એ વાતને જનતાએ ઉપાડી લેવા જેવી લાગી અને તે ભાવનાને સ્થાયી સ્વરૂપ મળતું જોઇ આનંદ થાય તેમાં નવાઈ નથી. આસાહિત્ય સંગ્રહમાં વિચત્ પુનરાવર્તન દેખાશે એટલે એક તે એક વિષય પર જુદા જુદા આકારમાં ઉલ્લેખ થયેલ દેખાશે. એ પ્રમાણે કવિંચત ચિત થયેલ છે, પણ એનુ કારણ એ છે કે આ લેખા પુસ્તકાકારે પ્રકટ કરવાના ઇરાદાથી લખાયલા નહાતા. નાના લેખામાં જુદે જુદે વખતે પુનરાવર્તન થાય તે તેમાં દાષ જેવુ કાંઈ નથી. અભ્યાસ, ઔષધ અને ઉપદેશમાં પુનરાવર્તન દેખ નથી પણ ગુણ છે એવી આર્યસંસ્કારસ્વામીએની વિશિષ્ટ માન્યતા છે. એની પછવાડે રહેલા હતુ જનેાપકાર કે સ્વાસ્થ્યનેા હાઈ એ સર્વ પ્રકારે આદરણીય છે. સ. ૧૯૯૪ ના ચાતુર્માસમાં શ્રી ગોડીજી મહારાજ (પાયધુની–મુ ંબઇ)ના ઉપાશ્રયે પૂજ્ય ચેગી શ્રી કપૂરવિજયજીના સ્વવાસ પછીની પ્રથમ વાર્ષિક તિથિને દિવસે તેમના ગુણગ્રામ ચાલતા હતા ત્યારે તેએશ્રીના લેખા જે છૂટા
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy