SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વિધાન ભવિષ્યમાં ખોટું ના પડે. આપણે ત્યાં ત્રણ લોકની પ્રસિદ્ધિ છે. ૧. સ્વર્ગ ૨. મૃત્યુ અને તે છે. ૩. પાતાલ. અડધા સ્વર્ગના દેવોનું સ્થાન ઊર્ધ્વ આકાશમાં અને અડધાનું આપણી આ ધરતીની નીચે છે. આ એક ભારે રહસ્યમય ઘટના છે. ધરતીના અડધા દેવોનો આટલે બધે દૂર વસવાટ કે કેમ? આવો તર્ક સુજ્ઞ વ્યક્તિઓને સ્વાભાવિક રીતે જ થાય. મારી દષ્ટિએ એનો ખુલાસો અમુક ક રીતે આપી શકાય પણ ગ્રન્થનું કદ વધી જવાના કારણે અહીં રજૂ કરતો નથી. ચૌદરાજ લાંબી : . અને એકરાજ પહોળી સમચોરસ કાલ્પનિક ત્રસનાડીમાં બાકીની જંગી રહેતી ખાલી જગ્યા એકેન્દ્રિય જીવોથી વ્યાપ્ત છે, અને આ ત્રસનાડીની બહાર બાકીની રહેલી લોકાકાશની જગ્યામાં ફક્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો જ છે. અખિલ બ્રહ્માંડરૂપ વિશ્વ અકલ, અગમ્ય, રહસ્યમય છે. એનું વ્યાપક અને વિરાટ સ્વરૂપ છે 5 ન સમજી શકાય તેવું છે. ત્રિકાલજ્ઞાની તીર્થકરોથી પણ વિરાટ વિશ્વના પદાર્થો અને એની નો 2. સૈકાલિક અવસ્થાઓ-પર્યાયોનું વર્ણન કરવું ત્રણેય કાળમાં અશક્ય છે. પોતાના જ્ઞાનમાં તેમણે આ તે વિશ્વ જે રૂપે જોયું-ભાસ્યું, તેના અલ્પાંશ માત્રનું વર્ણન કરી શકયા છે. છતાં ધરતી ઉપરના રદ 2 માનવીઓને ચૌદરાજલોક રૂપી વિશ્વની અલ્પ અને સ્થૂલ ઝાંખી કરાવવા માટે વિશ્વની વ્યવસ્થાનું ભૂલ રીતે વિભાજન કરીને લોકોને તાત્ત્વિક વાતો સમજાવવાનું કાર્ય સરલ કરી દીધું છે. તે આપણી દૃષ્ટિએ દશ્ય અદશ્ય એવા વિશ્વના જીવોનો પોતાના પ્રત્યક્ષ જ્ઞાનથી જાણીને વિરાટ એવું અસંખ્ય બાબતોનું વર્ગીકરણ કરીને એમને માત્ર ચાર વિભાગ એટલે ચાર ગતિમાં છે વહેચી નાંખ્યા ત્યારે તે બાબત કેટલી સુખદ, સરલ અને આનંદજનક બની ગઈ. અહીં ભૂમિકારૂપે લોકાલોકના સ્વરૂપની આછી ઝાંખી કરાવી. ચાર ગતિના જીવોનું જે વર્ણન કર્યું છે તે બધું તમને આ ગ્રંથમાં જાણવા મળશે. હવે ચાર ગતિની વાત સંગ્રહણીમાં આપી છે, તે ચાર ગતિનાં નામ આ પ્રમાણે છે. ૧, દેવગતિ ૨. મનુષ્યગતિ ૩. તિર્યંચગતિ અને ૪. નરકગતિ. દેવગતિમાં દેવો રહે છે, મનુષ્યગતિમાં મનુષ્યો, તિર્યંચગતિમાં પશુ-પક્ષી અને જંતુઓની વિરાટ દુનિયા અને નરકગતિમાં સતત દુ:ખમાં રીબાતા નારકીઓ વસે છે. તે દેવગતિમાં રહેનારા દેવા માટે એમ કહેવાય છે કે તેઓ દર્શન આપે ત્યારે મનુષ્યની જેવા જ જ દેખાય છે. ફરક એટલો જ કે બધા દેવો તેજસ્વી શરીરવાળા હોય છે. મનુષ્યનું શરીર = દ દારિક શબ્દથી ઓળખાતા પુદ્ગલોનું બનેલું છે. જેથી એ પુદ્ગલો હાડકાં, માંસ, લોહી, મેદ, તે મજા, રસ અને શુક્ર આ સાતે ધાતુઓનું નિર્માણ કરી શકે છે. મનુષ્યનું શરીર બાલ્યાવસ્થા, , આ યુવાવસ્યા અને વૃદ્ધાવસ્થાવાળું બની શકે છે અને સાત ધાતુઓ અનેક પ્રકારના રોગો શરીરમાં તે જો ઊમા કરે છે. પરંતુ પ્રત્યક્ષ નહીં દેખાતા એવા દેવોનાં શરીરો વિશ્વમાં વ્યાપક રીતે સર્વત્ર : - - પથરાએલી અદેશ્ય ક્રિય વર્ગણાના ગ્રહણ કરાએલા પુદ્ગલોથી બનેલાં હોય છે, એટલે આ તે તો પુલોથી શરીરમાં સાત ધાતુઓનું નિર્માણ થઈ શકતું નથી. તેઓને માથા ઉપર વાળ, દાઢી, તો મૂછ, નખ, રોમ હોતા નથી, પેશાબ, ઝાડો, પરસેવો થતો નથી. વળી ફક્ત એક જ છે
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy