SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ [ ગ્રન્થ વિષય પરિચય આ શ્રી ગૈલોક્યદીપિકા અપરનામ શ્રી બૃહસંગ્રહણીસૂત્ર જેના ઉપર આ અનુવાદ કરવાનું સાહસ ખેડ્યું છે તેની ૩૪૯ ગાથાઓ છે. આ ભાષાંતર ટીકાના શબ્દ શબ્દના જ અર્થસંગ્રહ તરીકે જેમ નથી તેમ આ ગ્રન્થનું ભાષાંતર - ૩૪૯ ગાથામાં જ આવતા વિષયોનું છે એમ પણ નથી, કિન્તુ આ ગ્રન્થનો અનુવાદ ૩૪૯ ગાથાના અર્થ ઉપરાંત અનેક અન્ય ગ્રન્થોમાં મલતા ઉપયોગી વિષયોને દૃષ્ટિપથમાં રાખીને કર્યો હોવાથી કે - કેટલુંક વર્ણન નવીન જ ઉમેરવામાં આવ્યું છે. જ્યારે કેટલેક સ્થળે અંદરની જ વાતોને ચર્ચા દ્વારા આ સુવિસ્તૃત સ્વરૂપ આપવામાં આવ્યું છે. આમ ઘણા ઉપયોગી વિષયો, અધિકારો, અને પરિશિષ્ટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અભ્યાસીવર્ગની સરલતા સુગમતા માટે સ્થળે સ્થળે હેડીંગો, . જુદા જુદા અનેક યગ્નો, આકૃતિઓ, પૃથક પૃથક પરિગ્રાફ સહિત વિષયોની વિભાગવાર, ક્રમબદ્ધ ૯ વ્યાખ્યાઓ વગેરે આપવામાં આવ્યું છે, જેથી આ ગ્રન્થ સહુ કોઈને રૂચિકર થશે. ગ્રન્થકારની વિષય ગુંથણી :આ સંગ્રહણી ગ્રન્થમાં ગ્રન્થકાર મહાશયે ખાસ કરીને મુખ્યત્વે ૧. સ્થિતિ (આયુષ્ય) - ૨. ભવન, ૩. અવગાહના, ૪. ઉપપાત વિરહ, ૫. ચ્યવન વિરહ, ૬. ઉપપાત સંખ્યા, ૭. ચ્યવન સંખ્યા, ૮. ગતિ, ૯. આગતિ, આ પ્રમાણે નવ દ્વારા બાંધીને વ્યાખ્યા કરવાની સુંદર અને વ્યવસ્થિત પ્રથા સ્વીકારી છે. ચારે ગતિ આશ્રયી વિચારીએ તો એ નવ દ્વારા દેવ અને નરકગતિને સંગત હોવાથી બન્નેનાં મળીને ૧૮ તારો અને શેષ મનુષ્ય-તિર્યંચગતિમાં શાશ્વતા ભવનોના અભાવે ભુવનદ્વાર સિવાયના આઠ આઠ દ્વારો ઘટતાં હોવાથી બન્નેનાં મળીને ૧૬ તારો, ચારે ગતિનાં (૧૮+૧૬) મલીને કુલ ૩૪ કારોની વ્યાખ્યા આ ગ્રન્થમાં દર્શાવેલી છે. તેમજ પ્રસંગે પ્રસંગે સંગત અને જરૂરી એવો અન્ય એ વિષય પણ આપવો ગ્રન્થકાર ચુક્યા નથી. તે સંક્ષિપ્તમાં આ પ્રમાણે : અનુવાદનો પરિચય :આ અનુવાદના પ્રારંભમાં મંગલાચરણની ચર્ચા બાદ દશમાં પાનેથી સંગ્રહણી સૂત્રની આદ્યગાથા શરૂ થાય છે, ત્યારબાદ ઉપયોગી પુગલ પરાવર્તનું સંક્ષિપ્ત સ્વરૂપ અનેક પ્રમાણભૂત ટીપ્પણીઓને સ્થાન આપવા સાથે, ઘણાં પાનાં રોકે છે. ૧. દેવગતિ અધિકારના નવે દ્વારોની વ્યાખ્યા શરૂ થાય છે, એમાં નવ દ્વારો ઉપરાંત પ્રાસંગિક 2દેવોની કાયા, ચિહ્ન, વસ્ત્રાદિક વર્ણ અષ્ટરૂચક અને સમભૂતલા સ્થાન નિર્ણયની ચર્ચા, મનુષ્ય ક્ષેત્ર 3 એક વર્ણન, અસંખ્ય દ્વીપ-સમુદ્રોની વ્યાખ્યા, પ્રાસંગિક અઢીદ્વીપાધિકારની સંક્ષિપ્ત વ્યાખ્યા, મંડલાધિકાર નો assessessessesses [ ૩૫ ] ====================
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy