SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ - સ્વાભાવિક છે, પરંતુ વિષમકાલના પ્રભાવ આગળ ઉપાય નથી. છે. આ પુસ્તકમાં આપેલા ભગવતી સૂત્રના દરેક વ્યાખ્યાનોની સમીક્ષા હું કરી શક્યો નથી. - બીજા વિદ્વાન પાસે કરાવી શક્યો નથી. આજે તો આવા વ્યાખ્યાનોની સમીક્ષાના અધિકારી - સંઘમાં શોધવા પડે અને શ્રમણ સંઘમાં જે કંઈ થોડાક છે એમને સમયનો પ્રશ્ન હોય. વળી કે સમુદાયભેદે કરવા માટેની પણ કયારેક મુશ્કેલીઓ વરતાય, નહીંતર વ્યાખ્યાનોની જો સમીક્ષા , થઈ શકી હોત તો આ વ્યાખ્યાનોની મહત્તા કોઈ જુદી અનુભવાત. છે. છેલ્લે છેલ્લે પાલીતાણામાં ભગવતીજી સૂત્રની જે વાચના થઈ તે પણ શ્રેષ્ઠ કોટિની હતી. - આ વાચના અનેક સાધ્વીજીઓ, શ્રાવકો નોટમાં ઉતારતા હતા. અમારી પાસે બે રીતમાં ન ઉતારેલાં વ્યાખ્યાનોની કોપી છે. એ કોપી મારે જ બરાબર સુધારા વધારા સાથે સંસ્કારી કે બનાવાની જોરદાર ભાવના હતી એટલે ચાર વરસ સુધી મેં કોઈને જોવા ન આપી. પણ મારી : - પાસે અનેક કામો એટલે ચાર વરસથી લાગ્યું કે મારાથી શક્ય નહીં બને માટે બીજા કોઈ ને છે. મુનિરાજો જોઈ આપે તો વિનંતી કરવી અને જોવાઈ જાય તો જલદી છપાવી નાંખવી. એટલે તે ન મેં એ કોપી બે ત્રણ યોગ્ય સાધુમહાત્માઓને આપી પણ કાચી પ્રેસ કોપી એટલે ભાષા- : - વાક્યોની અપૂર્ણતા થોડી ઘણી તો હોય જ એટલે એ જોઈને તેઓએ જણાવ્યું કે અમારા માટે કે આ કામ કઠણ છે, એમ પણ જણાવ્યું કે આચાર્યશ્રીજીના કથનને યથાર્થ ન્યાય નહીં આપી - શકીએ. આવું જણાવી પ્રેસ કોપી અમને પાછી મોકલાવી. હવે જો કોઈ શાસ્ત્રીય રીતે, ભાષાની જ - દષ્ટિએ, સંકલનની દૃષ્ટિએ સુધારનાર કુશળ વ્યક્તિ મળે તો જ આ કાર્ય થાય પણ લાગે છે જ છે કે “પારકી આશ સદા નિરાશ' કહેવતનો અનુભવ થવાના ચાન્સીસ વધારે એટલે છેવટે તે આ સમય મેળવી મારે કરવું રહેશે! - પૂજય ગુરુમહારાજ અવરનવર લેખો લખતા હતા, મોટા ભાગે તે જૈન પત્રમાં છપાતા - હતા. એ બધા લેખોનું સંકલન કરી સારી રીતે સંપાદિત કરી ભવિષ્યમાં પ્રગટ કરવા વિચાર છે જ છે. મારી પાસે કામો ઘણાં છે, એ બધાં પાર પડી શકશે કે કેમ તેની ઉંડી ચિંતા છે, એ તે જોતાં બીજાં કામો ઉપાડી શકું તેમ નથી. એટલે સુયોગ્ય વિદ્વાન મળશે તો તેમને સોંપી પ્રેસ | - કોપી કરાવી લઈશું પછી છપાવાશે. મને લાગે છે કે આ સંગ્રહ પણ ૪૦-૫૦ ફોર્મથી ઓછો . ર તો નહીં જ થાય. વળી મારા જ કહેવાથી પૂજ્યશ્રીએ નવતત્ત્વ ઉપર ૪૫ વર્ષ પહેલાં છે. “સુમંગલા' નામની ટીકા રચી હતી. આ ગ્રન્થ પણ પુનર્મુદ્રણ માંગી રહ્યો છે. પૂજયશ્રીનો બધો સંગ્રહ પ્રસિદ્ધ થાય તે ભાવના છે, જોઈએ સમય, શરીર અને સંજોગો . કેવા સહાયક બને છે. હવે પૂર્ણાહુતિમાં વાચકોને થોડી બીજી ઉપયોગી વિગતો આપી પ્રસ્તાવના પૂરી કરું ? છે. જૈનધર્મના મૂળભૂત શાસ્ત્રોને “આગમ' શબ્દથી ઓળખવામાં આવે છે. જેનધર્મમાં ભગવાન ના શ્રી મહાવીર પછી ઘણાં વરસો બાદ ચાલ્યા આવતા પ્રભુના એક જ માર્ગમાં બે ભાગલા નું પડ્યા-બે ફાંટા પડ્યા એટલે બંને માટે નવાં નામોનો જન્મ થયો. એક શાખાનું નામ શ્વેતામ્બર જ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy