SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ જ g&d ન જ જજ જ ડરમનcd3vigo , 3g? - જજ જ જ Ep . 36, 268 જ ન જ છે પણ આ જ kg 1, vi[ ij\iN vow gived Jo ro wo છે તો અમને જાણ કરે તો મહદ્ પુણ્યની વાત થાય અને એની નકલ થઈ જાય તો આ કાર્ય માં ચિરંજીવ બની જાય. આ જ્ઞાનમંદિરના સ્થાપક અને ગ્રન્થસંગ્રાહક મારા દૂરનાં કૌટુમ્બિક પૂજય પં. શ્રી રંગવિજયજી મહારાજ હતા. હું એમની પાસે સેવાભાવે ખૂબ સમય આપતો ત્યારે મારી ઉમ્મર ૯-૧૦ વરસની હશે. દીક્ષાની ભાવના હતી એટલે પાંચ તિથિ હું એકલો જ પૌષધ કરતો હતો અને રોજ બપોરે જ્ઞાનમંદિરમાં એમની સાથે કામ કરવા જતો હતો. જ્ઞાનમંદિરમાં પુંઠા ચઢાવવામાં તથા બીજા કામમાં સહાયક રહ્યો હતો. આ રીતે જ્ઞાનભક્તિનો લાભ અને ગ્રન્થ સેવાકાર્ય નાની ઉમ્મરથી જ સદ્ભાગ્ય મળ્યું હતું. આ પુસ્તકની ચોથી આવૃત્તિમાં ભક્તિવંત પંન્યાસ મુનિશ્રી વાચસ્પતિવિજયજી, વિનયશીલ મુનિશ્રી જયભદ્રવિજયજી તથા સમગ્ર પ્રકાશન કાર્યમાં પૂરી ચીવટ રાખનાર ગુરુ-શિષ્યા સા. શ્રી પુષ્પયશાશ્રીજી, સા. શ્રી પુનિતયશાશ્રીજી તથા ભક્તિવંત ભાઈશ્રી રોહિતભાઈ આદિએ આ કાર્યમાં વિવિધ રીતે સહાય કરી છે તે માટે તે સહુને ધન્યવાદ આપવા રહ્યા. સાથે આ આવૃત્તિનું મુદ્રણ સોનગઢના કહાન મુદ્રણાલયના માલિક શ્રી જ્ઞાનચંદજી તથા તેમના પુત્રો નિરજ, નિલયે ઝડપથી ખૂબ સારી રીતે કામ કરી આપ્યું તે માટે તેમને પણ ધન્યવાદ ઘટે છે. શાસ્ત્ર વિરુદ્ધ કંઈ લખાયું હોય તો ક્ષમા. ભાદરવા સુદ-૧૫ વિ. સં.૨૦૫૪ એસ. પી. એપાર્ટમેન્ટ વાલકેશ્વર-મુંબઈ –વિજય યશોદેવસૂરિ કર્મ એ શું ગુણ છે કે દ્રવ્ય છે? છે શું? [નોંધ :–અજૈન ધર્મશાસ્ત્રો પાસે કર્મના અસલી સ્વરૂપની વ્યાખ્યા કે તેની પૂર્વાપર અબાધિત પ્રરૂપણાની વ્યવસ્થા નથી. તેની મૂળભૂત વ્યાખ્યા, વિસ્તાર, આમૂલચૂલ છણાવટ, એનો પ્રચંડ પ્રભાવ એ બધું સવિસ્તર જૈન તત્ત્વજ્ઞાનના ગ્રન્થોથી જ જાણવા મળે તેમ છે. એનું સ્વરૂપ ઘણું અદ્ભુત છતાં સામાન્ય બુદ્ધિવાદીઓથી અગમ્ય લાગે એવું છે. અહીંયા જેન દષ્ટિએ કર્મ એક દ્રવ્ય છે અને એ દ્રવ્ય જ આત્માની ઉન્નતિ-અવનતિમાં અવિરત ભાગ ભજવે છે તેની ટૂંક સમજ અહીં આપી છે. – યશોદેવસૂરિ કર્મ (ક્રિય તત્વ ) આ શબ્દ વ્યાપાર, ક્રિયા, ઉદ્યમ કે પુરુષાર્થના અર્થમાં વિશેષ વપરાય છે છે. ગીતાનો કર્મયોગ' શબ્દ પણ ઉદ્યમ, પ્રવૃત્તિના અર્થનો જ સૂચક છે. પણ આ લેખમાં કર્મ શબ્દને જુદા જ અર્થમાં અનોખી વ્યાખ્યારૂપે રજૂ કરવાનો છે. જો કે કર્મ વિજ્ઞાન ઉપર સુવ્યવસ્થિત જૈનધર્મ કે જૈનધર્મનું તત્ત્વજ્ઞાન તથા તેની સામાજીક કે અન્ય વ્યવસ્થાના પાયામાં કર્મસત્તાનું મુખ્યત્વે પ્રબળ કારણ રહેલું છે. સારું કે નરસું જે કાંઈ બને છે તે પાછળ મુખ્ય ભાગ ગતજન્મના કે આ જન્મમાં ઉદયમાં આવેલી કર્મસત્તા જ ભાગ ભજવે છે. , ft. / 1/ ફ'/ / / /પાર છે, ,, - ''' ''' -'
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy