SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ FISKKSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSA જ જિનસેનજીની કૃતિ પછી લગભગ ત્રણ સેકા પછી (વિ. સં. ૧૨ ૨૯) કલિકાલ સર્વજ્ઞ છે શ્રી હેમચંદ્રાચાર્યજી આવી જ કૃતિ આપણને આપે છે. ફકત નામમાં થોડોક ફરક કરીને, છે “અહનું નામસહસ્ત્રસમુચ્ચય' નામ રાખીને આપે છે. અર્થદષ્ટિએ અહંનું કે જિન એક જ છે છે અર્થના વાચક છે. જો કે આ કૃતિને “જિન સહસ્ત્ર'થી પણ ઓળખાવવામાં તો આવે જ છે. જિનસહસ્રનામ સ્તોત્ર અથવા અનમસ્કાર સ્તોત્ર, આવા નામની અન્તિમ મુદ્રિત કૃતિ @ સત્તરમી શતાબ્દી (સં. ૧૭૩૧)ની મલે છે. જેના કર્તા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ @ છે. જિનસહસ્ત્રની રચનાઓ એકંદરે સાત મળી છે. એમાં ત્રણ દિગમ્બરની અને ચાર છે. શ્વેતામ્બરની છે. દિગમ્બરની ત્રણેય કૃતિઓ મુદ્રિત થઈ ગઈ છે. જયારે શ્વેતામ્બરની બે મુદ્રિત થઈ છે અને બે અમુદ્રિત છાણી અને પૂનાના ભંડારમાં હસ્તલિખિત પ્રતિ રૂપે વિધમાન છે. છે. એમાં મને દિગમ્બરીય આશાપર પંડિત (વિ. સંવત ૧૨૮૭) વિરચિત રચના એની વિશિષ્ટ છે જે ક્રમબદ્ધ ગોઠવણ અને નામોમાં વ્યકત થતી પ્રતિભાના કારણે રચનાની દૃષ્ટિએ ઘણી વિશિષ્ટ જ કૃતિ લાગી છે. આશાધરને કવિ કાલિદાસ તરીકે ઓળખાવ્યા છે. તેઓ ગૃહસ્થ વિદ્વાન હતા. ‘સહા' નામની સહુથી આદ્ય રચના (અજેન કૃતિ) વિષ્ણુ સહસ્ત્ર નામની છે, અને તેથી g) ઉપલબ્ધ સહાના વાડમયમાં તે સહુથી વધુ પ્રાચીન છે. ૧. દિગમ્બરીય જિનસહરચનાં નામો અને શ્વેતામ્બરીય અઈમ્ સમુચ્ચયના નામોમાં ગ્રન્થગત નવમા શતકની રચનાને બાદ કરીએ તો બાકીના શતકના નામોમાં અસાધારણ સામ્ય દેખાઈ આવે છે. આજે આ પ્રથાને એક આ સમસ્યા રૂપ લેખવા કરતાં સાહિત્યના ક્ષેત્રમાં પરસ્પર એકબીજાનું આદાન-પ્રદાન કરવાની કેવી પ્રથા હતી તે રૂપે સમજવું વધુ ઉચિત રહેશે. ૨. ભારત વિવિધ ધર્મો અને પન્થોનો દેશ છે. આવા દેશમાં પ્રજા પ્રજા વચ્ચે સહિષ્ણુતાનો સેતુ ટકી રહે, સંપનો દોરો પરોવાએલો રહે, તો જનતા વિવિધતામાં પણ એકતાને અનુભવે, જેથી ભાતૃભાવ, પ્રેમ અને મૈત્રીની હુ ભાવના મજબૂત થતી રહે. આ માટે જૈનાચાર્યોએ પ્રસંગ આવે સાહિત્યના ક્ષેત્રમાં ઉદાત્ત ઉદાહરણો પૂરાં પાડ્યાં ) છે. એમાં પ્રાચીનોમાં સુપ્રસિદ્ધ મહાન આચાર્યોમાં સુરિપુંગવ શ્રી હરિભદ્રજી, તે પછી શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી માનતુંગસૂરિજી અને તે પછી ઉપાધ્યાયજી યશોવિજયજી આદિને ગણાવી શકાય. દિગમ્બરમાં પંડિપ્રવર શ્રી આશાધરને રજૂ કરી શકાય. આશાધરજીએ સહસ્ત્રનામોના શતકોમાં અર્થની દૃષ્ટિએ જૈનદષ્ટિને ખ્યાલમાં રાખીને છે બ્રહ્મશતક, બુદ્ધશતકની કરેલી રચનાઓ પ્રસ્તુત બાબતના પ્રબુદ્ધ પુરાવા છે. છે આ, મગવાન મહાવીરે આ દેશને આપેલી તદ્દન નવી, અદ્ભુત અનેકષ્ટિની સર્વતોમુખી રુટિને છે આભારી છે, મેદમાં અમેદ અને અભેદમાં ભેદને સ્થાપન કરી સત્યને જીવંત રાખવું એ આ દૃષ્ટિની ફલશ્રુતિ છે. સાપેક્ષદષ્ટિ એ અનેકાનનું બીજું નામ છે. તમામ સંઘર્ષોના ઉકેલ માટેનો આ એક મહાન સિદ્ધાનું છે. અને 8 આ અનેકાન્તના સિદ્ધાન્તને ‘સ્યા’ વાદ શેલી દ્વારા જૈનાચાર્યોએ ખૂબ ખૂબ વિકસાવ્યો છે. ઉપાધ્યાયજીએ પણ ઉપરોકત પરંપરાનો આદર યથોચિત કર્યો છે. એમને જ શાબ્દિક ઝઘડાથી દૂર રહેવાનું જ જણાવતાં માપામાં રચેલ સિદ્ધ સહસ્ત્રનામ વર્ણનની કૃતિમાં કહ્યું છે કે ઈસ્યા સિદ્ધ જિનનાં કહ્ય સહસ્ત્ર નામ, રહો શબ્દ ઝઘડો કહાં લહી શુદ્ધ ધામ. છે. ૩. આ કૃતિ મહાભારતના અનુશાસનપર્વમાં છે. eeeeeeeeeex [86] Creeeteeexeber
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy