SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ કિરણોનો સંબંધ નિકટવર્તી ઘટાદિ વગેરે અને દૂરવર્તી ચંદ્ર વગેરે સાથે થાય છે, ત્યારે જ તે પદાર્થો . છે. પ્રત્યક્ષ થાય છે. આ કારણે ન્યાયની પરિભાષામાં તેઓ ચક્ષુને તેજસ્ પદાર્થ તરીકે ઓળખાવે છે. જે ઉપાધ્યાયજીએ ઉપરોકત મતનું ખંડન કરતાં જણાવ્યું છે કે તમો ચક્ષને તૈજસ કહો છો પણ છે છે તે તેજસ રૂપ છે જ નહિ એટલે પછી એની રશ્મિ કે કિરણોનો ઘટ, ચંદ્ર વગેરે સાથે સંબંધ થાય છે છે અને દેખાય છે, આ વાત જ પછી ક્યાં રહે છે? પદાર્થના પ્રત્યક્ષમાં ચક્ષુનો કોઈ સંયોગ કે જે સંબંધની જરૂર જ નથી. પદાર્થના પ્રત્યક્ષમાં ચક્ષુઈન્દ્રિયમાં બેઠેલી રૂપને જોવાની સહજ શકિત એના છે કારણે તે સમીપના કે દૂરના પદાર્થોને સ્વાભાવિકપણે જ જોઈ શકે છે. એ માટે કોઈ સંબંધ છે જોડવાની-માનવાની જરૂર નથી, એટલે જેને ન્યાયની પરિભાષામાં ચક્ષુને અપ્રાપ્યકારી તરીકે ઓળખાવવામાં આવે છે. ત્યાર પછી ટીકામાં સાંખ્યમતવાદીઓના સત્કાર્યવાદનું ખંડન કર્યું છે. સત્કાર્યવાદ એ ન્યાયશાસ્ત્રનો ગંભીરતાથી સમજવા જેવો વિષય છે. સત્કાર્યવાદનું એવું મંતવ્ય છે કે-કાર્ય એ કારણમાં અવ્યક્ત રૂપે વિધમાન હોય છે, અને પછી અભિવ્યક્ત થાય છે. નિયાયિકો વળી એમ કહે છે કે કારણમાં કાર્ય સર્વથા અસત્ એટલે રહેતું જ નથી; એ તો પાછળથી ઉત્પન થાય છે. પરંતુ જૈન મતાનુસાર કારણમાં કાર્ય અવ્યક્ત રૂપે સત્ છે અને વ્યક્તરૂપે અસત્ છે. કેટલાક દાર્શનિકોનું એવું માનવું છે કે એક જ પદાર્થમાં પરસ્પર વિરોધી ધર્મો સંભવી શકે જ નહિ. એની સામે જેન દાર્શનિકો સ્પષ્ટ રીતે કહે છે કે એક જ પદાર્થમાં અપેક્ષા ભેદે પરસ્પર કે વિરોધી ધર્મનું અસ્તિત્વ જરૂર હોઈ શકે છે. આ વાત અષ્ટમ પ્રકાશના જ સાતમા શ્લોકમાં જણાવતાં લખે છે કે-વિવિધ વર્ણ મિશ્રિત કોઈ એક રનમાં નીલ, પીત આદિ પરસ્પર વિરોધી વિવિધ રંગોનું અસ્તિત્વ પ્રત્યક્ષ દેખાય છે, તેમ પ્રત્યેક પદાર્થમાં નિત્યત્વ-અનિત્યત્વ, ભેદ–અભેદ, છે ‘સત્ય-અસતુ, સામાન્ય-વિશેષ, વાચ્યત્વ,-અવાચ્યત્વ આદિ અનેક ધર્મોનું અસ્તિત્વ હોઈ શકે છે અને તે ઘટાવી શકાય છે. તે પછીના શ્લોકમાં વિજ્ઞાનવાદી બૌદ્ધો જેઓ અનેકાન્તવાદનું ખંડન કરે છે, પણ બીજી બાજુ છે. છે તેઓ પોતે જ એક જ વિજ્ઞાન અનેક આકારથી મિશ્રિત છે એવું પ્રતિપાદન કરે છે. આથી તો જ સ્પષ્ટ થાય છે કે એક જ વિજ્ઞાનમાં અનેક આકારોનું અવસ્થાન છે જ, એટલે બોદ્ધો પણ છે અનેકાન્તવાદી જ ઠરે છે, આથી અનેકાન્તવાદનું ખંડન એ નિરર્થક બાબત બની રહે છે. છે૧. ખુદ ઉપાધ્યાયજીએ આ ઉપર પશુપાથરતાવાર નામની એક પદ્ય કૃતિ જ રચી કાઢી છે. અનેકાનમતને પુષ્ટિ આપતો, માત્ર એક રામાનુજ સંપ્રદાયના ગ્રંથનો શ્લોક અહીં આપવો પ્રસ્તુત ન હોવા છતાં સંગ્રાહ્ય હોવાથી ઉધૃત કરું છું. स्वरुपपररुपाभ्यां नित्य सदसदात्मने । वस्तुनि ज्ञायते किंचिद्, रुपं कैश्चित् कदाचन ॥ વિઝિબિપિવિકિવિ [ ૩૯૮Uછgggggggggggggggg કલક8િ888@ાશક-શિકિડીકર વલસાડ વિશભરશિક્ષિકશકશ વકિલ કલિક કલાક
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy