SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ તાલીમ મારા સંસારી મામાના સુપુત્ર શ્રી મુલજીભાઈ જેઓ સંગીતવિદ્યામાં ઘણા નિષ્ણાત થયા છે જ હતા તેમના ઘેર જઈને હું તેમની પાસે શીખેલા રાગોનો અભ્યાસ કરતો હતો. આમ નાની છે છે ઉંમરમાં જ સંગીતના ખેતરનું સારું એવું ખેડાણ કરવાની તક મને સાંપડી હતી. એ ડભોઇના છે જ જૈન શ્રીસંઘ અને ખાસ કરીને સંગીતશાળાની નેતાગીરીને આભારી છે. આ માટે સહુને હાર્દિક જ ધન્યવાદ આપવા રહ્યા. નૃત્ય કલાની લીધેલી શ્રેષ્ઠ તાલીમ છે. સંગીત અને તાલની તાલીમ લીધા પછી અમને નૃત્યકલા શીખડાવવાનો નિર્ણય કરાયો છે અને અમને એ તાલીમ આપવાનું શરૂ કરાયું. નૃત્યજ્ઞ વ્યક્તિઓએ પ્રથમ અમને પગમાં તોડા છે) પહેરાવ્યા અને હાથના અભિનયની તાલીમ આપી. વળી અમો “મોરલીનૃત્ય ઉપરાંત અન્ય 9 પ્રકારો સરસ રીતે શીખી ગયા. આ તાલીમમાં આઠ વિદ્યાર્થીઓ હતા. આમાં પણ મારો ક્રમાંક ત્રીજો હતો. પછી અમારા માટે સુરતમાં પરીઓના આકર્ષક ડ્રેસો-પોશાકો, બનાવટી કેશકલાપો, @ પરીના મુગટો વગેરે તૈયાર કરાવ્યાં અને પ્રેક્ષકો આફરીન થઈ ગયા. પછી તો અમારા મંડળને બહારગામથી આમંત્રણો મળવા લાગ્યા. બહારગામ પાંચ પાંચ સાત સાત હજાર માણસો વચ્ચે અમારે નૃત્ય કરવાના પ્રસંગો બન્યા. સર્પવાળું “મોરલીનૃત્ય' જ થાય ત્યારે તો લોકોનો ધસારો એવો થતો કે મેદની ભારે બેકાબૂ બની જતી. અમારા માટે છે નૃત્ય કરવાની જગ્યા પણ ન રહેતી. એ વખતે લોકો અમને છોકરા નહિ પણ છોકરીઓ જે સમજતા હતા. જ્યાં જઈએ ત્યાં લોકો ફિદા ફિદા થઈ જતા. ત્યાર પછી મને વૈરાગ્યભાવ પેદા થયો અને આ તાલીમ બંધ થવા પામી. સાધુજીવન, અન્ય પ્રતિકૂલ સંયોગો, શરમાળ પ્રકૃતિ વગેરે કારણે સમય જતાં મારા * સંગીતની તાલીમ ધીમે ધીમે સર્વથા બંધ થઈ ગઈ. પરિણામે અતિશ્રમે થોડીઘણી મેળવેલી છે જે વિદ્યાનું મારું અતિપ્રિય ઝરણું બહુધા સુકાઈ ગયું. છે આ રીતે મારી સંગીતની આત્મકથા અહીં પૂરી થાય છે. હવે આ પુસ્તક અંગે બે બોલ શું લખું છું. પ્રસ્તુત વ્યાખ્યાન અંગે ( બે બોલ ) પ્રસ્થાન–આજથી ત્રણેક વર્ષ ઉપર પ્રો. હીરાલાલ ૨. કાપડિયા ચેમ્બરમાં મને મળ્યા છે અને વડોદરામાં “સંગીત, નૃત્ય અને નાટ્ય સંબંધી જૈન ઉલ્લેખો અને ગ્રન્થો” અંગે પોતે 9 આપેલ વ્યાખ્યાન પ્રસિદ્ધ કરવા માટે મારું ધ્યાન ખેંચ્યું. મેં તેની પ્રેસ-કોપી માંગી અને તે મને ? છે એમણે આપી. હું તે જોઈ ગયો. તેની ઉપયોગિતા મને સમજાઈ અને મને થયું કે આ જી. વ્યાખ્યાન જરૂર મુદ્રિત થવું જ જોઈએ. આથી મેં પરમપૂજ્ય મારા ગુરુદેવશ્રી આચાર્ય શું? Boeretetteteate8e8e8 [ 354] Helsesenteretzterete :
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy