SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત કર ભગવાન શ્રી મહાવીરતા ૩૫ ચિત્રોનું સંપુટ (૪૮ ચિત્રોનું સંપુટ) M વિ. સં. ૨૦૨૯ વિ. સં. ૨૦૪૯ ઇ.સન્ ૧૯૭૩ ઇ.સન્ ૧૯૯૨ સંપાદકીય નિવેદન (પ્રથમવૃત્તિમાંથી) ૨ આ કાળના અન્તિમ-ચોવીસમા તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જીવન-પ્રસંગોની ચિત્રમય સંપુટ પ્રગટ થઈ રહ્યો છે તે જોઈને હું અપાર હર્ષ અને લાગણી અનુભવી રહ્યો છું. વરસોથી સેવેલું સ્વપ્ન સાકાર થાય ત્યારે કોને હર્ષાનંદ ન થાય! આ સંપુટમાં ભગવાન શ્રી મહાવીરનું જીવન ૩૪ ચિત્રોમાં આપવામાં આવ્યું છે. ૩૫મું ચિત્ર ભગવાનના આદ્ય શિષ્ય ગણધર શ્રી ગૌતમસ્વામીજીનું છે. આમાં ભગવાન - શ્રી મહાવીરના જીવનના બીજા ચાર પાંચ પ્રસંગો ઉમેરવાની મારી ઈચ્છા હતી, પણ { તે તત્કાલ શકય બની નથી. વળી કોઈ કોઈ ચિત્રમાં કલાના સિદ્ધાન્ત અને તેની દૃષ્ટિને પર માન આપવું અનિવાર્ય હોવાથી મારી ધારણા અને વાસ્તવિક્તાને જતી કરીને ચિત્રકારની - સ્વતંત્રતા સ્વીકારવી પડી છે. આ પુસ્તક ચિત્રસંપુટનું હોવાથી ચિત્ર પરિચય એકદમ - ટૂંકો આપી શકાત, પરંતુ મહત્ત્વના અન્ય કારણોસર આમાં મેં મધ્યમ પ્રકારનું ધોરણ SS અપનાવ્યું છે. પરિચય આલંકારિક કે કાવ્યમય ભાષામાં, તેમજ તેના માર્મિક વિવેચન આ સાથે ન આપતાં સહુને સુવાચ્ય અને સુપથ્થ થાય એ રીતે સરલ અને સાદી ભાષામાં, જ ઘટનાઓ પૂરતો જ આપ્યો છે. દેશપરદેશની જનતા આનો લાભ ઉઠાવી શકે એ માટે ડ પરિચય ત્રણે ભાષામાં આપ્યો છે. શેષ લખાણ એક જ ભાષામાં આપ્યું છે. ?
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy