SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ F6S4889898989898989898989898948808048688689656&STA લોકપ્રિયતા, યશ, કીર્તિ, નિર્ભયતા, નિરુપદ્રવપણું, બુદ્ધિ વૃદ્ધિ, ષટ્કર્મોમાં સફળતા વગેરેની પ્રાપ્તિ છે જે થાય છે; ઇષ્ટસાધક, મનોવાંછિતની પ્રાપ્તિ થાય છે; અનાવશ્યક સંકલ્પ-વિકલ્પો નષ્ટ થાય છે; & & માનસિક ત્રાસ કે તાણો થાય તેવા પ્રસંગો ઉદ્ભવતા નથી. અધિકારપદની પ્રાપ્તિમાં આ લોકમાં નહાની ઠકુરાઈથી લઈ થાવત્ ચક્રવર્તીપદની છુ પ્રાપ્તિઓ, પરલોકમાં સ્વર્ગીય સુખો સહ દેવ-દેવેન્દ્રાદિપદ તથા ઉત્તમ કુલની પ્રાપ્તિ થાય છે. 9. ટૂંકમાં કહીએ તો વિશ્વ ઉપરનાં તમામ ભૌતિક લાભો નવકાર મંત્રને શરણે જનારના ચરણમાં શું આળોટતા થાય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ શું પ્રાપ્ત ન થાય? અમોઘાલંબરૂપ મહામંત્રના શરણે જવાથી આત્મા હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહના . આ પાપથી મુક્ત બને છે. ક્રોધ, માન, માયા, લોભ, કષાયો ઉપશમ ભાવને પામે છે. આત્માને છે મલિન કરનારા રાગ, દ્વેષ, કલહ, કલંક મૂકવાની ટેવો, ચાડી, ચુગલી, ખુશી, નાખુશી, પરનિંદા, આ માયાપૂર્ણ જુઠું, મિથ્થાબુદ્ધિ, આદિ દોષો પ્રાપ્ત થતા નથી. ટૂંકમાં આત્મા તથા મનને રોગિષ્ટ , જ બનાવે એવી આબોહવાથી સાધક બચી જાય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ શું પ્રાપ્ત થાય છે? જે વિષયોની વાસનાઓ અને કષાયોનો અલ્પવિરામ, અર્ધવિરામ અને યાવત્ પૂર્ણવિરામ થાય છે હ્યું છે. માનવ મનને વ્યથિત કરતી અનાવશ્યક ઇચ્છાઓનો હ્રાસ થતો જાય છે. અહિંસક ભાવ, છે & સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ ગુણોની પ્રાપ્તિ, અનેકાંત દૃષ્ટિનો વિકાસ, ક્ષમા, નમ્રતા, છે & સરલતા, સંતોષ, વીતરાગ ભાવ, અદ્વેષ બુદ્ધિ, પ્રેમ, મૈત્રી, પ્રમોદ, કરુણા ભાવનાઓનો વિકાસ છે છે તેમજ પરોપકારરસિકતા, ગુણદૃષ્ટિ કેળવાય છે. સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપાદિ ગુણોનું સર્જન છે છે અને વિવર્ધન, નિર્મલતા, પવિત્રતા, ઉદાત્ત ભાવ, વિશાળ મન, ઉમદા વિચારો, સાદાઈ, 9 છે સરલતા, માનસિક આરોગ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે, ગુણસ્થાનકના સોપાન ઉપર આરૂઢ થતાં 9 9 ધર્મ અને શુકુલ ધ્યાનની પ્રાપ્તિ કરી ઉત્તરોત્તર આગળ વધતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ચૌદમા ) 9 ગુણસોપાને પહોંચી મુક્તિસુખના અધિકારી બને છે. - ઉપરોક્ત કારણોથી નિત્ય અને નૈમિત્તિક તમામ ક્રિયાઓમાં, વિવિધ અનુષ્ઠાનોમાં, માંગલિક કાર્યોમાં, વ્યાખ્યાન અને વાચનાના પ્રારંભમાં, સામાયિકાદિ ક્રિયાઓમાં, પ્રયાણપ્રવેશમાં, જીવનની તમામ અવસ્થાઓમાં, સાંસારિક કે ધાર્મિક તમામ પ્રવૃત્તિઓમાં નવકારમંત્રનું સ્મરણ કરવાનો આદેશ અપાયો છે અને એનો અમલ સર્વત્ર ચાલુ છે. નવકારમંત્ર એ જૈન શ્રીસંઘમાં સમગ્ર આરાધનાનું કેન્દ્ર બની ગયો છે. જાતિવાચક પદોનું મહત્ત્વ અને તેથી જ તેનું શાશ્વતિકપણુંઃ આ મંત્રપાઠમાં જે પાંચનાં નામો લેવામાં આવ્યાં છે, તે કોઈ વિશિષ્ટ વ્યક્તિઓ નથી . %e0%90% [ ૨૫૦ ] ©©©©©©©©©©છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy