SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ સુધારા વધારાથી તે એટલી બધી ચિત્રવિચિત્ર બની ગઇ છે કે પ્રતની નકલ કરનારનું ભેજું જ ગાયબ થઇ જાય, અને સંશોધકનું તો પૂછો જ મા! ખાસું મજાનું હિમાલયના મહા મહિનાના જેવું દહીં જ કરી નાંખે! અમુક આપવાદિક સ્થળો બાદ કરીએ તો પ્રતિઓમાં ચેકચૂક, છેકછાક કે અક્ષરોની ગરબડી ક્યાંય માલમ નથી પડતી. કવચિત અક્ષર કે શબ્દનું નાધિકપણું બની ગયું છે તે વાત સાચી, પણ તે ઉતાવળથી લખવાના કારણે જ થયું છે. તેઓશ્રીની કલમ ઠીકઠીક વેગીલી હતી. બરૂ-કલમનો કસ પણ ઠીક ઠીક કાઢી લેતા હતા. લખતા લખતા બરૂ કૂચે થવા આવ્યું હોય છતાં અલ્પ સમયમાં વધુ લખવાના લોભમાં લખવાનું જેટલું ખેંચાય તેટલું ખેંચ્યું છે, અને બરૂની ધારનો જેટલો કસ કઢાય તેટલો એકી સાથે કાઢી લવા પ્રયત્ન સેવ્યો છે. જેથી અક્ષરો ક્યાંક ખરડાએલા, તેમજ આછી પાતળી સ્યાહીવાળા થવા પામ્યા છે. અરે! એમની સર્જનની ધૂન અને સમયનો બચાવ કરવાની તાલાવેલી કેવી હતી તેનું પ્રતિબિંબ પ્રસ્તુત પ્રતિઓમાં જ જોવા મળે છે. સામાન્ય રીતે દરેક લેખક પ્રાંતના લખાણની બન્ને બાજુએ એક એક લીટી મારે. અને બબ્બે લીટીઓ મારી શકાય તો બેવડી મારે, અને દોરવાના સાધનથી સીધી દારીને પાનાંની શોભા અને ઉઠાવ લાવે પરંતુ આ પુરુષને તો શોભ ગુણગાર માટે સમય જ ક્યાં હતો! તેની તેમને પડી પણ શું હોય? એટલે લીટી એકવડી ૪ માર્ગ છે અને તે- પટ્ટીની મદદ વિના હાથથી જ મારી દીધી છે. અને ઉતાવળ તો કવી? તારી બંધ જ સાધો ન મળે; કે ન તો પૂરી દારેલી મળે! ન તો સરખા માપની હાય ખરે.ઘણા સ્થળે તો લીટી મારવાનો શ્રમ કે સમય જ લીધો નથી, આવી તો હતી તેઓશ્રીની સર્જનની મસ્તધૂન અને પ્રચણ્ડ તાલાવેલી! ઉપાધ્યાયજીના ‘સ્’ વગેરે અમુક અમુક વર્ણાક્ષરો લેખનમાં ખાસ વિશિષ્ટતા ધરાવે છે. એ વિશિષ્ટતા કયા વર્ણોની કેવી રીતે છે? તે તો ખાસ બ્લોક પ્રીન્ટ દ્વારા જ બતાવી શકાય. મારી ઉમેદ હતી કે ઉપાધ્યાયજીના ખુદના હસ્તાક્ષરોની જ ઞ થી લઇને હૈં સુધીના સ્વર વ્યંજનોની, કેટલાક સંયુક્ત અક્ષરોની લિપિ તૈયાર કરી, મુદ્રિત કરાવી આ સંપુટના આરંભમાં જ આપવી, પણ સમયસર તૈયાર થઇ શકી નથી, એટલે હવે તે વાત તો ભાવિ ઉપર રહી. આ સંપુટમાં આપેલા ઉન્નતિ અને પતંગનવો વર્શન આ બંને પ્રતિકૃતિઓના અન્તમાં ઉપાધ્યાયજીએ પોતે એક શ્લોક લખ્યો છે. જેમાં પ્રતિઓ લખવામાં મદદગાર બનનાર પોતાના ખંભાતવાસી રત્નમેધજીના પુત્ર જયતસી ભક્તને અમર બનાવી દીધો છે. સર્જનયજ્ઞ ઉપરાંત લેખનયજ્ઞને માંડનારા ઉપાધ્યાયજીને શ્રુતજ્ઞાનભક્તિનું કેવું ‘ઘેલું’ લાગ્યું હતું કે, પોતાના ગ્રન્થો તો લખ્યા, પરંતુ તેમાં સહાયક અન્ય જૈન કે અજ્જૈન ગ્રન્થોને પણ બીજા લેખકની અપેક્ષા રાખ્યા સિવાય સ્વહસ્તે જ લખ્યા. વળી અન્ય લેખકે લખેલા ગ્રન્થોને પરિમાર્જન પણ કર્યા. ધન્ય હો! એ અપ્રમત્ત પુરુષાર્થી, સ્વાશ્રયી, ઉદારચેતા સાધુપુંગવને! [ ૧૯૯ ] @ v
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy