SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત છે જે સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ભાગ-૨ ની પ્રસ્તાવના - વિ. સં. ૨૦૧૫ ઇ. સન્ ૧૯૫૯ 2020242 મારા બે બોલ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ તથા પરમપૂજ્ય જ આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદો સહ જૈન સંસ્કૃત ' સાહિત્યના ઇતિહાસ'નો પ્રથમ વિભાગ જ્યારે બહાર પડ્યો ત્યારે “બે બોલ” એ મથાળા નીચે મારે થોડું ઘણું જે કહેવું આવશ્યક હતું તે મેં કહી નાંખ્યું હતું. હવે વિસ્તૃત રીતે આજે જે કહેવાનું હશે તે આ વખતે નહિ, પણ તૃતીય વિભાગ પ્રકાશિત થશે ત્યારે, સમય > જો યારી આપશે તો લખવા ધારું છું. - દ્વિતીય વિભાગ તેર તેર વર્ષના પ્રલંબ વિલંબ બાદ પ્રસિદ્ધ થઈ રહ્યો છે. એ ટાણે જ આ વિલંબ માટે ખેદની અને પ્રસિદ્ધિ માટે આનંદની, મિશ્ર લાગણીઓ અનુભવી રહ્યો કર છું. હવે ત્રીજા વિભાગના પ્રકાશન માટે તો શાસનદેવને પ્રાર્થના કરું કે “વેગા' નહિ તો છેછેવટે ચડા' ગતિએ પણ પ્રગટ થાય તેવી સાનુકૂળતાઓ અર્પે. તેર તેર વરસના ગાળા દરમિયાન જેને સાહિત્ય અને ઇતિહાસ ઉપર જૈન વિદ્વાનોએ તે લખેલાં કેટલાંક સ્વતંત્ર પ્રકાશનો પ્રકાશિત થયાં છે. વળી અર્જન લેખકો અને અર્જુન સંસ્થાઓ તરફથી પણ ભારતીય દર્શનો અથવા તો ઇતિહાસ ઉપર કેટલાંક પુસ્તકો બહાર પડ્યાં છે. હવે તેમાં જૈન દર્શન, સાહિત્ય કે ઇતિહાસને લગતું એકાદ પ્રકરણ જરૂર હોય છે. અજૈનોનું આ દર્શન પ્રત્યે સારા પ્રમાણમાં વલણ વધ્યું છે તે એક આનંદનો વિષય છે. છે. ભૂતકાળમાં અજૈન વર્ગની સૂક્ષ્મ કે સ્થૂલ સાંપ્રદાયિક ધૃણા, વિષ કે ઉપેક્ષા વગેરે cs કારણે, જૈન દર્શન કે જૈન ધર્મ પ્રત્યે અત્યન્ત ઉપેક્ષાભાવ રહેતો, એટલે આ ધર્મને
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy