SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ - વૈજ્ઞાનિકોએ એક જ અણુમાં ઇલેકટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનાં અણુ-પરમાણુઓ કેવી રીતે ? 2 રહ્યાં છે તેનું વિજ્ઞાને ભગીરથ સંશોધન કર્યું છે અને તેની કલ્પના ન આવે તેવી થિઅરી સર્જી છે છે છે. તેની ગતિ-શક્તિનાં માપ નીકળ્યાં છે અને આ અણુ સંશોધને તો વિજ્ઞાનના ઘણા દરવાજા - 2. ખોલી નાંખ્યા છે. આ તો ભૌતિક દૃષ્ટિએ અણુશક્તિની વાતનો ઇશારો કર્યો પણ તત્ત્વજ્ઞાનની આ 25 દૃષ્ટિએ અણુ-પરમાણુ શું છે? તેનાં બનેલાં સ્કંધો વગેરે શું છે? તે ઉપર જેને વિદ્વાનો સારો : પ્રકાશ પાથરી શકે. જૈનધર્મમાં અતિ જંગી માપને માપવા માટે એક લોખંડના ગોળાની વાત આ સંગ્રહણી ગ્રન્થમાં પૃષ્ઠ નંબર ૫૧૩માં લખી છે તે જોવી. આજનાં રોકેટો, ઉપગ્રહો કે યાનો આ ગાળાની ક તે ગતિ પાસે સાવ સામાન્ય લાગે. અરે! એક દેવ અબજો માઇલનું અંતર આંખના પલકારામાં કાપી શકે છે. આ ચૈતન્યની કે તાકાત છે. દેવોનાં શરીરો મનુષ્યોના શરીરથી તદ્દન જુદાં જ વૈક્રિયથી ઓળખાતાં પુલ પરમાણુનાં હોય છે અને તે અનેક ચમત્કારો સર્જી શકે છે. અહીંયા વિજ્ઞાનની બહુ જ થોડી જાતજાતની ટૂંકી ટૂંકી વાતો આપી છે. વિજ્ઞાનની બાબતો કદ હજુ ઘણી ઘણી જાણવા જેવી છે પણ ગ્રંથનું કદ મર્યાદા બહાર જતું રહે. આ માટે તો ખગોળ વિ ભૂગોળ વગેરેનાં ચિત્રો સાથે સ્વતંત્ર પુસ્તક લખવાનો યોગ બને ત્યારે ઘણું બધું આપી શકાય ? છે અને વાચકોને તેમાંય ખાસ કરીને જૈન સાધુ-સાધ્વીજીઓને ભૌતિક રહસ્યો, પુદ્ગલ વગેરેની આ અગાધ તાકાતની જાણકારી કરી શકાય. અત્યારે વિજ્ઞાનની ઘણી ઘણી આશ્ચર્યકારક ઘટનાઓ લખવા કલમ થનગની રહી છે પણ હવે કલમને પરાણે મ્યાન કરવી રહી. વાચકોને જૈન માન્યતા અને વિજ્ઞાનની માન્યતા વચ્ચે કેવી ભિન્નતા છે તેનો તરત ખ્યાલ આવે માટે અહીં જરૂર પૂરતી થોડી વિગતો આપી છે. સૂચના :-અહીં બ્લેક એટલે મોટા ટાઇપનું લખાણ જૈનદર્શનની માન્યતાને જણાવે છે અને નાના ટાઇપનું લખાણ વિજ્ઞાનની માન્યતાને જણાવે છે. ૧. જૈન દર્શન આત્મા, કર્મ, પરલોક અને મોક્ષ આ ચારેયના શાશ્વત અસ્તિત્વને સ્વીકારે છે. * જ્યારે પરદેશના બધાં દર્શનો અને વૈજ્ઞાનિકો આ ચારેયના અસ્તિત્વને બરાબર સ્વીકારતા નથી. ૨. જૈન દર્શન દેવ-દેવીઓથી યુક્ત એવા દેવલોકને એટલે દેવોના વસવાટ સ્થાનને માને છે. એમાં બે પ્રકારના દેવોનું સ્થાન ધરતી-પાતાલમાં છે અને બે પ્રકારના આ દેવોનું સ્થાન આકાશમાં અસંખ્ય અબજો માઇલના વિસ્તારમાં રહેલું છે. ===૯૪ (૧૩૦૩ ૯ ==
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy