SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ 去法米米米米米米光选出逃出洗米米米米米米米米米米米米米米米米米米米老法步法 છે પણ ગ્રન્થ વિષે વિસ્તૃત અભિપ્રાય છાપીને અતિશય પ્રશંસા કરી હતી. આ અભિપ્રાયો આ ? તે પુસ્તકના પ્રારંભના ભાગમાં છાપ્યા છે. બીજી આવૃત્તિમાં ગાથાના અને ભાષાંતરના ‘વિશેષ શબ્દોનો શબ્દકોષ પાઠ્યપુસ્તક હોવાના ક શું કારણે તથા અન્ય કારણોસર આપ્યો નથી. વળી વૈદિક (હિન્દુ), બોદ્ધ અને દેશના અન્ય ધર્મગ્રન્થોમાં અને પરદેશના દર્શનકારોની આ ૬ ભૂગોળ, ખગોળ અંગે શું માન્યતાઓ છે તે વાચકોને વિવિધ જાણકારી મળે એ માટે 30 પાનાંનું ક - મેટર તૈયાર કર્યું હતું પણ ગ્રન્થનું કદ વધી ગયું હોવાથી તે વિષય અહીં આપ્યો નથી. વિહારમાં 2 સાધુ-સાધ્વીજીઓ સંગ્રહણીનું પુનરાવર્તન કરી શકે અને ઓછા સમયમાં વૈશ્વિક (ત્રણેય લોકના) 5 કે પદાર્થોનું જ્ઞાન સરળતાથી થાય તે માટે પ્રથમવૃત્તિમાં માત્ર ગાથાર્થ સાથેની બધી ગાથાઓ આપી પર હતી અને એ વખતે તેની છાપેલી નાનકડી પુસ્તિકા ખૂબ જ લોકપ્રિય બની હતી પરંતુ બીજી આવૃત્તિમાં ગાથા સાથે ગાથાર્થ આપવામાં આવ્યો ન હતો. ચૈતન્યની એટલે આત્માની શક્તિ કેવી છે તેનો કંઇક સ્વાદ માણી શકાય માટે નીચેનું ઉદાહરણ આપ્યું છે વેજ્ઞાનિકો વિજ્ઞાનની આંખથી એટલે યાત્રિક આંખોથી વધુમાં વધુ તેઓ સો અબજ રોડ તે માઇલો સુધી દૂરનું જોઈ શકવા કદાચ સમર્થ થઇ શકે પરંતુ જૈનધર્મમાં એકરાજ પ્રમાણ કહ્યું : ક છે. તે તેટલા દૂર રહેલા આકાશને જોવા માટે કયારેય સમર્થ નહીં થઈ શકે. કારણ એ છે કે રે ૯ એકરાજ એ અસંખ્ય એવા અબજો માઇલ પ્રમાણનું છે. ચૌદરાજ પ્રમાણ અને લોકપ્રસિદ્ધ ભાષામાં બ્રહ્માંડ એટલે કે દશ્ય-અદેશ્ય અખિલવિશ્વની ખૂબી તો જુઓ, આવા ચૌદરાજલોક પ્રમાણ આકાશને તળિયેથી ટોચ સુધી પહોંચી જવું હોય તો એક 2 અર્થાત્ મોશે પહોંચવું હોય તો એક શક્તિ એવી છે કે જે આંખના એક પલકારાના અસંખ્યાતમાના 2 - એક ભાગમાં પહોંચી જાય છે. આ શક્તિ કઈ? આ શક્તિ બીજી કોઈ નથી પણ આત્માની પોતાની ચૈતન્યશક્તિ જ. જો કે આત્મા તળિયાથી લઈને સાતરાજ. સુધીના ક્ષેત્રમાંથી મોક્ષ માટે પ્રયાણ કરવાનો અર્થાત્ ગતિ કરવાનો અધિકારી છે. કેમકે મોક્ષ મનુષ્યલોકમાંથી અને તેમાંય મનુષ્યલોકની રે અતિમર્યાદિત જગ્યામાંથી જ જઇ શકે છે પણ એટલાય મનુષ્યલોકથી સાતરાજ મોક્ષ દૂર છે. જીવ કે સંસારનો પૂર્ણ અત્ત જયારે કરે છે ત્યારે છેલ્લી ક્ષણે કાયમને માટે સ્કૂલ અને સૂક્ષ્મ બંને શરીરનો રે સંબંધ છોડી દે છે. જ્યારે તે અશરીરી બને છે એ જ ક્ષણે તે અસંખ્ય કોટાનકોટી માઇલો સુધી તેલ એટલે એક સેકન્ડના અનેક અબજોના એકભાગના સમયમાં મોશે પહોંચી જાય છે. આટલી ગહન છે અકલ્પનીય, અદ્ભુત, કયાંય જાણવા-વાંચવા ન મળે તેવી વાત તીર્થકરોના કેવળજ્ઞાને આપણને કે તે જણાવી છે. સર્વજ્ઞથી જ દષ્ટ વાત અસર્વજ્ઞો કદી જાણી શકે નહિ એટલે આ વાત ધરતી ઉપરના રે તો કોઈ ગ્રન્થ કે પુસ્તકમાં તમને નહીં મળે, એ ફક્ત સર્વજ્ઞોપદિષ્ટ જૈન આગમાદિ શાસ્ત્રોમાં જ મળશે. =========seeeeeeeeeeeeee [ ૭૧ ] ========================
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy