SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ || ૭૪ || ચોપઈ ।। અગ્યારમુ વ્રત તું આરાધિ, સુધો મારગ તું પણિ સાધિ । ઓહોરતો પોસો કીઈ, મુગતિ તણાં ફલ તો લીજીઈ ।।૮૦૦।। પરભવિ જાતાં એ આધાર । અનંત સુખ નર પાંમઇ તેહ ||૧|| પાંચ અતીચાર એહના ટાલિ, સંથારાનિ ભોમિ સંભાલિ | ઠંડિલ પડલેહી વાવરો, ભવી જન લોકો વિધિ આદરો ।।ર // પોસો પૂણ્ય તણો ભંડાર, મન સુäિ આરાધઇ જેહ, પ્રઠવીઇ જ્યાહા જઇ માતરૂ, પહઇલ દ્રીષ્ટિ જોઈઇ ખરૂ | અણજાંણો જસગો કહી, પ્રવીઇ જઇણાઇં સહી ||૩|| નીસહી આવસહી મનિ ધરે | પોસાનિ એમ કીજઇ સેવ ।।૪ || વનસપતિ છઠી ત્રસકાય । પોસાનું ફલ એમ લીજીઇ ।।૫।। સંથારા પોરશ નવિ જાણી । મીછાટૂકડ દિજઇ તેહ ।।૬ // પારી વહઇલુ ધરિ સંચરઇ । કહઇ તુઝે કાજ કેહી પરિ સરઇ 1|૭|| મીછાટૂકડ તેહનો દીઓ । પોતાનો સમઝાવો હિઓ ।।૮।। વાર ત્રણિ કહીઇ વોશરે, કાલવેલા વાંદી જઇ દેવ, પ્રથવી પાંણી તે વાય, સંધટ એહનો નવિ કીજીઈ, દિવસિં યંદ્રા કીધી ઘણી, અવધઇ સંથાર્યું વિલ જેહ, પોષધ વલી અસુર્ય કરઈ, ભોજનની વલિ અંત્યા કરઇ, પરબત િ પોસો નવિ કીઓ, અંગિ અતિચાર કાં તુમ્યુ દિઓ, ઢાલ – ૭૪ કડી નંબર ૮૦૦થી ૮માં કવિએ અગિયારમું ‘પૌષધોપવાસ’ નામે ત્રીજા શિક્ષા વ્રતનું વર્ણન કર્યું છે. ‘પૌષધ’ એ જૈન શ્રાવકની ૨૪ કલાક સળંગ કરવાની એક ધર્મ ક્રિયા છે. જેમાં શ્રાવક મહદ્અંશે સાધુ તુલ્ય જીવન અપનાવે છે. પૌષધમાં કરવાની કરણી અંગેના વિધિ નિષેધો તથા આ વ્રતના પાંચ અતિચાર અહીં બતાવ્યા છે. કવિ કહે છે કે, તું અગિયારમા વ્રતની આરાધના કર કે જેથી શુદ્ધ માર્ગ સાધી શકાય. અહોરાત્ર અર્થાત્ એક સૂર્યોદયથી બીજા સૂર્યોદયનો કાળ આમ ચોવીસ કલાકનો પૌષધ કરવો, કે જેથી મુક્તિના ફળ મળે. પૌષધ પુણ્યનો ભંડાર છે, વળી પરભવમાં એ આધારરૂપ છે. આમ જે શુદ્ધ મનથી આરાધના કરે છે તે મનુષ્ય અનંત સુખ પ્રાપ્ત કરે છે. ==>
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy