SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ઉરાધ્યયન સૂત્રમાં ત્યાગધર્મથી જીવને કેવો લાભ થાય છે. તેનું વર્ણના મળે છે. જેને મોહ નથી તેનું દુઃખ ગયું, જેને તૃષ્ણા નથી તેનો મોહ ગયો. જેને લોભ નથી તેની તૃષ્ણા ગઇ અને જેનો લોભ નષ્ટ થઇ ગયો. તેના માટે આસક્તિ આદિ કંઇ પણ હોતું નથી'. ત્યાગધર્મની આરાધનાથી મોહ જાય છે, તૃષ્ણા જીતાય છે અને લોભ જાય છે તેથી ત્યાગ ધર્મના ઉપાસકને કોઇ પણ પ્રકારની મમતા કે આસક્તિ હોતી નથી. ત્યાગધર્મ : (૧) (૨) (૩) સંતાપને સંતાપી નાખે છે. ઇચ્છાને સમાપ્ત કરે છે સંવેગને વધારે છે. મારુ કંઇ નથી' નો મંત્ર શીખવે છે." નિવૃત્તિના પંથે, જીવાત્માને દોરે છે. અપરિગ્રહની તાલીમ આપે છે. વીતરાગતાના મહેલમાં પ્રવેશ કરવાનું દ્વાર છે. રત્નત્રયીનો પાલક અને પોષક છે. દેહાધ્યાસને દેશવટો આપનાર અને સ્વમાં રમણતા કરવાનાર છે. (૯) ત્યાગધર્મમાં સ્થિર થવા સાધકે શું વિચારવું જોઈએ ? (૧) હે જીવ ! તને જે પ્રાપ્ત થયું છે, તે પુણ્યના કારણે. એ પુણ્યફળનો ભોગવટો તારા એકલાથી ન થાય એમાં બીજાઓનો પણ ભાગ છે. તારા પુણ્યફળમાં ત્યાગીધર્મ આરાધકોને ભાગીદાર બનાવ. (૨) પૂર્વે ત્યાગધર્મ સેવ્યો હશે તેથી આજે તને બધું સહેલાઇથી મળી રહે છે, તને જે પ્રાપ્ત થયું છે તે જગતના કેટલાય જીવોને પ્રાપ્ત થતું નથી, હવે ભવાંતરમાં ફરીથી પ્રાપ્ત કરવું હોય તો ત્યાગધર્મને સ્વીકારી તેનું આરાધન કરવા લાગી જા. (૩) ત્યાગે તેને આગે અને માંગે તેને ભાગે' હે મનુષ્ય, તું તારા ત્યાગધર્મમાં સ્થિર થા. ((૩૨) ભગવાન મહાવીર અને સંયમજીવલ )
SR No.022858
Book TitleBhagwan Mahavir Ane Sanyam Jivan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2004
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy