SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર પ્રશ્ન :- ચોથી થોય સહિત ત્રણ થોયની દેવવંદના સૂત્રાગમ આચરણાએ છે કે અર્થાગમ આચરણાએ ? ઉત્તર :- સૂત્રાગમ આચરણાએ નથી, અર્થાગમ આચરણાએ છે. પ્રશ્ન :- અર્થાગમ આચરણાએ છે, તો પૂર્વધર ગીતાર્થકૃત અર્થાગમ આચારણાએ છે કે બહુશ્રુત ગીતાર્થકૃત અર્થાગમ આચરણાએ છે ? ઉત્તર ઃ- પૂર્વધર ગીતાર્થકૃત અર્થાગમ આચરણાએ નથી, પણ બહુશ્રુત ગીતાર્થકૃત અર્થાગમ આચરણાએ છે. પ્રશ્ન :- બહુશ્રુત ગીતાર્થકૃત અર્થાગમ આચરણાએ છે, તો આગમઅનિષેધ આચરણાએ છે કે આગનિષેધ આચરણાએ છે ? ઉત્તર ઃ- આગમઅનિષેધ આચરણાએ પણ છે અને આગમનિષેધ આચરણાએ પણ છે. પ્રશ્ન :- આગમઅનિષેધ આચરણાએ શાથી છે અને આગમનિષેધ આચરણાએ શાથી છે ? ઉત્તર ઃ- કારણે ચોથી થોય સહિત ત્રણ થોયની દેવવંદના કરવી તે તો આગમઅનિષેધ આચરણા અને કારણ વિના પ્રતિક્રમણમાં ચોથી સહિત ત્રણ થોયથી દેવવંદના કરવી તે આગમનિષેધ આચરણા. પ્રશ્ન :- ચોથી થોય સહિત ત્રણ થોયના દેવવંદન શા કારણે કહ્યા છે ? ઉત્તર ઃ- પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થોય સહિત ત્રણ થોયના દેવવંદન કહ્યા છે. : પ્રશ્ન :- પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થોય સહિત ત્રણ થોયની ચૈત્યવંદના કરવી કયા શાસ્ત્રમાં કહી છે ? ઉત્તર ઃ- પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થોય સહિત ત્રણ થોયની ચૈત્યવંદના પૂર્વધર નિકટકાલવર્તી તથા પૂર્વધર પશ્ચાત્કાલવર્તી આચાર્યોના લલિતવિસ્તરા વૃત્તિ પ્રમુખ અનેક શાસ્ત્રોમાં કહી છે. પ્રશ્ન :- લલિતવિસ્તરા વૃત્તિના રચયિતા કોણ છે ? ઉત્તર ઃ- લલિતવિસ્તરા વૃત્તિના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ છે.
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy