SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ भणियं च - ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર बहुसुयकमाणुपत्ता, आयरणा धरइ सुत्तविरहे वि । विज्झाए विपईवे नज्ज दिट्टंत सुदिट्ठीहिं ॥२३॥ जीवियपुव्वं जीवइ, जीविस्सइ जेण धम्मियजणंमि । जीयंति तेण भन्नई, आयरणा समयकुसलेहिं ॥ २४॥ तम्हा अन्नायमूला हिंसारहिया सुज्झाणजणणी य । सूरिपरम्परपत्ता, सुत्तव्व पमाणमायरा ॥२५॥ તે ચૈત્યવંદના કરવાના જઘન્ય આદિ નવ પ્રકારના વિધિભેદમાંથી કેટલાક સૂત્ર અનુસાર, કેટલાક ગીતાર્થ આચરણા અનુસાર અને કેટલાક સૂત્ર અને ગીતાર્થ આચરણા એમ બંનેથી જાણ્યા જાય છે. એ પૂર્વોક્ત ત્રણ પ્રકારથી હું ચૈત્યવંદનનું સ્વરૂપ કહું છું. ||૧|| અવતરણ :- (૧) મહાનિશીથસૂત્રમાં ચૈત્યવંદનાનાં સૂત્ર કહ્યાં તથા રાયપસેણી, જીવાભિગમાદિક સૂત્રમાં શક્રસ્તવાદિક નમસ્કારે ચૈત્યવંદના કહી તે સૂત્ર અનુસાર અને (૨) શ્રી બૃહત્કલ્પ, વ્યવહારભાષ્ય આદિમાં જીતાચારથી પૂર્વધરોએ મધ્યમ-ઉત્કૃષ્ટ વિધિથી ચૈત્યવંદના કહી તે ગીતાર્થ આચરણા અનુસાર છે. (૩) શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીકૃત વંદનપયજ્ઞામાં કહેલ ચૈત્યવંદનાવિધિઅનુક્રમ તથા શ્રી હરિભદ્રસૂરિજી કૃત પંચાશકજીમાં કહેલા ઉપલક્ષણરૂપ ત્રણ ભેદ, તેના સ્વજાતીય બે-બે ભેદ ગ્રહણ કરવાથી ચૈત્યવંદનના નવભેદ તે ઉભય અનુસાર છે. એ ત્રણ પ્રકારથી આચાર્ય ચૈત્યવંદનાનું સ્વરૂપ કહે છે. શિષ્ય પ્રશ્ન :- હે ભગવન્ ! સૂત્રની વાર્તા એ જ કહેવી યુક્ત છે, પણ તમો વંદન નામના અધિકારમાં આચરણાની સહાયતા કેમ લો છો ? ।।૧૬।। અવતરણ :- શિષ્યના પ્રશ્નમાં પંચાંગી નિરપેક્ષ એકાંત સૂત્રવાર્તા ગ્રહણ કરવાનો મત છે. પણ પંચાંગી અનુસાર પ્રકરણોક્ત ગીતાર્થ આચરણા ગ્રહણ કરવાનો મત નથી. તે મત જણાવવા આચાર્ય ઉત્તર આપે છે.
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy