SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે અન્ય કોઈ સમસ્યા ઉપર જઈએ તે પહેલાં આપણે કામતાપ્રસાદ જૈનના વિચારોને ધ્યાનમાં લેવા જોઈએ. આ વિચારોનું આપણા માટે મહત્ત્વના એટલા સરળકારણસર ધારવામાં આવે છે કે તે બેદરકાર વાચકને ગેરમાર્ગે દોરવાની શક્યતા છે, કે જે (વાચક) શ્વેતાંબર અને દિગંબર એવા બે સંપ્રદાયો વચ્ચે અસ્તિત્વ ધરાવતા સાંપ્રદાયિક તફાવતોથી અનભિન્ન હોય. દિગંબર સંપ્રદાય મુજબ મહાવીર વર્ધમાનકુમાર અપરિણિત હતા. તેઓ તેમના આવા નિર્ણય પર શ્વેતાંબર સંપ્રદાયના સાવ નિવૃત્તિ શતાવર સપ્રલાય સવ પરથી આવ્યો હોય એમ દેખાય છે. એવો કલ્યાણવિજયજી ગણીનો મત છે. દિગંબરો “કુમાપ્રવ્રજિત' એ શબ્દના અર્થને મજબૂત રીતે પકડી રાખે છે. જોકે પછીના ટીકાકારોએ પદને એવી રીતે વર્ણવે છે કે એવા (લોકો) કે જેમનો રાજ્યાભિષેક ન થયો હોય. શ્વેતાંબર સંપ્રદાયની ઉપરોક્ત સંદર્ભવાળી ટીકા આ મુદ્દા પર તદ્દન સ્પષ્ટ હતી કે મારા વિષયા તે મુત્તા HIR દેહિ જે ભારપૂર્વક નિર્દેશ કરે છે કે મારyøનતનો અર્થ એ છે કે એવા લોકો) કે જેમણે પોતાની કુંવારાપણાની સ્થિતિનો ત્યાગ ન કર્યો હોય. એ તદન શક્ય છે કે દિગંબરોએ તેમનો નિર્ણય આવા કોઈક ગ્રંથને આધારે લીધો હોય. કલ્યાણવિજયજી ગણી નીચે મુજબ વિચારે છે. શ્વેતાંબરો કલ્પસૂત્રનો આધાર લે છે અને એટલે જ આપણે મહાવીરની પત્ની અને પુત્રીના નામ મેળવી શક્યા છીએ. અને હું પોતે વ્યક્તિગત રીતે વિચારું છું કે શ્વેતાંબરો કદાચ તેમના પોતાના નિર્ણયોમાં એવાં સ્પષ્ટ કારણોસર તદ્દન ખોટા ન હતા કે જમાલિ કે જે પાછળ અત્યંત જાણીતો થયો અને જે સાત ધર્મભેદના જાણકારો પૈકીનો એક હતો તે પરંપરા અનુસાર મહાવીરનો જમાઈ એટલે કે પ્રિયદર્શનાનો પતિ હતો અને આવા અગત્યના સંબંધ બાબતે આથી દેખીતી રીતે જ ખરાબ ગેરસમજ કે ગેરરજૂઆત થાય નહિ અને થઈ શકે પણ નહિ.
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy