SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ, કારણ કે તેમણે નાનો અને બિનમહત્ત્વનો પંથ રચ્યો હતો. કદાચ આ જ કારણે તેઓ પોતાના પંથને સારી રીતે સુરક્ષિત પણ રાખી શક્યા. મિ. જેકોબી કહે છે, “આપણે એવાં સામાન્યીકરણો પર ભરોસો કરવા માટે ઉપકૃત થયા નથી કે જેનો તેમના ધાર્મિક સિદ્ધાંતોની ઝાંખી કલ્પનાઓ હોવાને લીધે દૂર હતા. તેઓ એવા સંપ્રદાયના સ્થાપક તરીકે પ્રસિદ્ધ થયા કે જે તુલનામાં બિનમહત્ત્વની બાબતોમાં પણ મોટા સમુદાયથી અલગ પડતા હતા.” - શ્વેતાંબર પંથ દ્વારા સાબિત થયેલી આ હકીકત છે. લ્યુમેને પ્રકાશમાં આણી. (Indusche Studien જુઓ) દિગંબરો કે જેઓ તાત્ત્વિક માન્યતાઓમાં થોડાક જુદા પડતા હતા, તેમને શ્વેતાંબરો દ્વારા પાખંડી તરીકે કલંકિત કરવામાં આવ્યા. આ બધી હકીકતો દર્શાવે છે કે પુનઃસંસ્કરણ પહેલાં પણ જેનએ અન્ય વિશાળ ધર્મોમાંથી વીણી લીધેલા સિદ્ધાંતો વડે વિચલિત કે મલીન થવા માટે જવાબદાર એવો અવ્યાખ્યાયિત પંથ નથી. આપણે જોઈ શકીએ છીએ કે શ્વેતાંબરોની પોતાની પ્રણાલિકાઓ અનુસાર તેમના પવિત્ર ગ્રંથોના વિદ્વાનો પણ ઈસવીસનની પાંચમી સદીથી આગળ જતા નથી. પરંતુ એ પણ સત્ય છે કે તેઓ ધારણા બાંધે છે કે વલ્લભીની સભા વખતે લખાયેલા ગ્રંથોનો આધાર લઈ પાટલીપુત્રની સભા વખતે પુનઃસંસ્કરણ પામેલા જૂના ગ્રંથો મહાવીર અને તેમના શિષ્યોની નકલ કરે છે. (પગેરું કાઢે છે.) હકીકત તરીકે ઈસવીસનના પ્રથમ અને દ્વિતીય શતકના શિલાલેખો છે કે જે પુરવાર કરે છે કે એટલા જૂના સમયમાં પણ જેનો શ્વેતાંબર અને દિગંબર એવા બે સંપ્રદાયોમાં વિભાજિત હતા અને એવી પાઠશાળાઓ પણ હતી જેમાં આપણા ગ્રંથોમાં વર્ણવ્યા છે તે અનુગામી ઉપદેશકો ત્યાં હતા. આજ શિલાલેખો એ પણ દર્શાવે છે કે “વાચક” કે “પાઠક” એ નામથી ઓળખાતા યતિઓ પણ હતા અને એવા પવિત્ર ગ્રંથો પણ હોવા જોઈએ કે જે દેવાર્વિના સંકલનનો આધાર બન્યા હોય. આમ શરૂઆતના સમયના ભાગ તરીકે તેમનું પ્રથમ ઉગમ સમજવા માટે ઘણાં કારણો છે અને એવી ધારણા કરવામાં આવે છે કે પવિત્ર ગ્રંથોના
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy