SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. આદેશ થતાં, ભરતે રાજય રવીકાર્યું; દેવતાઓએ ભરતને રાજયાભિષેક કર્યો. રાજમંડળે નવા રાજાને પ્રણામ ક્ય. પ્રભુએ બાહુબલિ વગેરે નવાણું પુત્રોને ગ્યતા પ્રમાણે દેશ વહેંચી આપ્યા. સાંવત્સરિક દાન પછી પ્રભુએ સાંવત્સરિક દાન આપવાને પ્રારંભ કર્યો. અને એવી ઉદઘોષણા કરાવી કે જે જેનો અર્થ હોય, તેણે આવીને તે ગ્રહણ કરવું. સ્વામીએ દાન આપવાનું શરૂ કર્યું, તે વખતે ઈન્દ્ર આદેશ કરવાથી કુબેરે તિર્થન મા રે રાજા સર્વ જગ્યાએથી દ્રવ્ય લાવીને વરસાદ જેમ પાણી પુરે, તેમ પ્રભુના આવાસમાં દ્રવ્ય પુરવા માડયું. હંમેશાં સૂર્યને ઉદય થાય ત્યાંથી તે ભજનના સમય સુધીમાં પ્રભુ એક કાટિ અને આઠ લાખ સોનૈયાનું દાન આપતા હતા; એ પ્રમાણે એક વર્ષમાં પ્રભુએ ત્રણસે આયાશી કરોડ અને એંશી લાખ સેનયાનું દાન કર્યું. દીક્ષા મહત્સવ દીક્ષાને વરઘોડ: વાર્ષિક દાનને અંતે પોતાનું આસન ચલિત થવાથી, ઈન્દ્ર ભક્તિપૂર્વક ભગવંત પાસે આવ્યા. બીજા ઇન્દ્રોની સાથે રાજયાભિષેકની પેઠે, તેણે પ્રભુને દીક્ષા ઉત્સવ સંબંધી અભિષેક કર્યો. ભગવાને દિવ્ય અલંકાર તથા વસ્ત્રો ધારણ કર્યા. નાજુક વિમાન હોય તેવી સુદર્શના નામે એક શિબિકા ઈન્દ્ર પ્રભુ માટે તૈયાર કરી. પ્રભુ પણ જાણે લેઠાગ્રરૂપી મંદિરની પહેલી નીસરણી ઉપર ચઢતા હોય તેમ તે શિબિકા ઉપર આરૂઢ થયા. પ્રથમ મનુષ્યએ અને પછી દેવતાઓએ પોતાને પુણ્યભાર હોય, તેમ તે શિબિકાને ઉપાડી. બે ચામરો પ્રભુના બન્ને પાર્શ્વ ભાગમાં વીંઝાઈ રહ્યા હતા. એવી
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy