SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સર્વ પરિવાર સહિત જંબુદ્રીપના દક્ષિણ ભારતની મધ્યમાં નાભિરાજાને ત્યાં ચાલે. કારણ કે તેમને ત્યાં આદિ તીર્થંકરના જન્મ થયા છે અને આપણે જન્મ કલ્યાણકના મહાત્સવ કરવાના છે.” ઇન્દ્રના હુક્રમ થતાં સર્વ દેવતાઓ ધણા હર્ષ થી તૈયાર થઈ ત્યાં આવ્યા. એટલે ઇન્દ્રે પાલક નામના દૈવને અનુપમ વિમાન રચવાની આજ્ઞા કરી. તરત જ તે ધ્રુવે ઈચ્છાનુગામી વિમાન રચ્યું. તે વિમાનમાં ઇન્દ્ર પાતાની આઠ પટરાણી સહિત, સિંહાસનને પ્રદક્ષિણા દઈ, પૂર્વ તરફના પગથીએથી સિંહાસન ઉપર ચઢયો અને પૂર્વાભિમુખ થઇ, પેાતાના આસન ઉપર બેઠે. વિમાનની આગળ પતાકાઓથી શાળતા એક ઇન્દ્રધ્વજ ફરકી રહ્યો હતા. દુંદુભીના અવાજોથી અને ગાના વાજીંત્રોના અવાજથી ગર્જનાત્રાળુ' તે વિમાન, બીજા વિમાના સાથે, ઇન્દ્રની ઈચ્છાથી સૌધર્મ ધ્રુવલેાકના મધ્યમાં થઈ વાયુ વેગે ચાલ્યું. થાડીવારમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર ઉલ્લંધન કરીને નઢીશ્વર દ્વીપ આવ્યું. તે દ્વીપના રતિકર પર્વત ઉપર ઇન્દ્રે વિમાનને સંક્ષિપ્ત ર્યું. ત્યાંથી આગળ વધતાં કેટલાક દ્વીપ સમુદ્રને ઉલ્લધી, ઇન્દ્ર જંબુદ્રીપના દક્ષિણ ભારતમાં આદિ તીર્થંકરના જન્મન્નુવને આવી પોંચ્યા. ત્યાં તેણે તે વિમાનમાં પ્રભુના સૂતિકાગૃહની પ્રદક્ષિણા કરી, ઈશાન ખૂણામાં તે વિમાન સ્થાપન ક્યુ. પછી વિમાનમાંથી ઉતરીને શક્રેન્દ્ર પ્રભુ પાસે આન્યા, અને માતા સહિત પ્રભુને પ્રણામ કરી પ્રદક્ષિણા ઇને મરૂદેવી માતાને કહ્યું, “હું સૌધમ દેવલાકના ઇન્દ્ર છું. તમારા પુત્રના જન્માત્સવ કરવા હું અત્રે આવ્યા છું. માટે તમારે ભય રાખવા નહિ, ' "
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy