SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ રાત્રે તેઓ ક્ષેત્રમાં સૂઈ ગયા હતા ત્યારે એક સપ એક ભાઈને કરડયા. પછી તે સર્પની બીજોભાઈ શેાધ કરવા લાગ્યા એટલે તે સપ તેને પણ કરડયા; તેના ડંશના પ્રતિકાર નથવાથી તે બિચારા મૃત્યુ પામ્યા. બન્ને ભાઈએ મૃત્યુ પામી બીજા ભવમાં હિરણીની કુક્ષિ વિષે મૃગપણે ઉત્પન્ન થયા. અહીં પણ તે પરપર અતિ સ્નેહયુક્ત થયા. એક દિવસ ઢાઈ શિકારીના ખાણથી મૃત્યુ પામી ત્રીજાવમાં હુંસીની કુક્ષિને વિષે હંસપણે ઉત્પન્ન થયા. તે ભવમાં પણ તેઓ પરસ્પર સ્નેહવાળા થયા. તેઓ ગંગા કિનારે રહેલા કમળના તંતુ ખાઈ પેાતાનું જીવન પસાર કરતા હતા તેવામાં કાઈક શિકારીએ તેમને મારી નાંખ્યા. ચેાથા ભવે ધર્માંની નિન્દા કાવાના ફળથી કાશીમાં એક ચડાળને ધેર ચિત્ર સંભ્રુતિ નામે ઉત્પન્ન થયા. તેઓને પરસ્પર અત્યંત સ્નેહ ઢાવાથી તેએ કદી પણ જુદા પડતા નહિ. તે સમયે કાશીમાં શંખ નામે રાજા હતા. તેને નમુચિ નામે પ્રધાને રાજાના માટે અપરાધ કર્યાં. તેથી રાજાએ તેને મારી નાખવા ચંડાળને સોંપી દીધા. તેણે નમુચિને કહ્યું, “જો તું મારા પુત્રોને ભેાંયરામાં રહીગુપ્ત રીતે ભણાવે તે હું તારી ગુપ્તપણે રક્ષા કરૂ. ” નમુચિએ ચંડાળનુ તે વચન કબૂલ કર્યુ. પછી નમુચિ ચિત્ર અને સભુતિને વિવિધ કળાઓના અભ્યાસ કરાવવા લાગ્યા કેટલેક દિવસે અનુરાગી થયેલી તે ચાંડાળની સ્ત્રી સાથે નમુચિ રમવા લાગ્યા. તે વાત જાણવામાં આવતા ચંડાળે તેને મારવાના નિશ્ચય કર્યાં. તે વાતની ચિત્ર સ’ભુતને ખબર પડવાથી તે ચાંડાળના
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy