SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ મલ્લયુદ્ધના ઉત્સવની વાર્તા સાંભળી કૃષ્ણ રામને કહ્યું, “ચાલે આપણે મથુરામાં જઈ મકલયુદ્ધ જઈએ” રામે યશોદાને કહ્યું, “જલદી પાણીની સગવડ કર.” યશોદા આવા વિકટ પ્રસંગથી કંટાળેલી હેવાથી વિલંબ કરતી હતી તેથી ફરી રામે કહ્યું, “હે. યશોદા ? તું અમારી શેઠ નથી. પણ દાસી છે. હુમને જલદી અમલ કેમ કરતી નથી?” કૃષ્ણને રામના આ વચનથી ખોટું લાગ્યું. તેણે રામને માર્ગમાં વિનયથી પૂછયું, “મારી માતાને તમે દાસી કેમ કહી ?” રામે જવાબ આપતાં જણાવ્યું, “તું વસુદેવ અને દેવકીને પુત્ર છે. નંદ અને યશોદા એ તે તારાં પાલક માતા પિતા છે. હું તારે ઓરમાન ભાઈ છું.” કૃષ્ણ પૂછયું, “પિતાએ મને અહીં કેમ રાખે છે ?” રામે જવાબમાં કંસનું ભ્રાતૃવધ સંબંધી બધું વૃત્તાન્ત કહી સંભળાવ્યું. તે સાંભળી કૃષ્ણ કંસને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી. ફણે કાળીનાગ ના માર્ગમાં યમુના નદી આવી. કૃષ્ણ સ્નાન કરવા પડયો કલી' નાગ તેની પાછળ પડ. કૃણે કમળ નાળની પેઠે તેને પકડી લીધે. પછી વૃષભની જેમ તેને નાસિકામાં નાથી લીધું અને તેની ઉપર ચઢી કૃણે તેને ઘણીવાર જળમાં ફેરવ્યો. પછી તેને નિર્જીવ જેવો કરી અત્યંત ખેદ પમાડી કૃષ્ણ બહાર નીકળે. રામ અને કૃષ્ણ મથુરા તરફ ચાલ્યા અને કેટલાક સમયે તે નગરીના દરવાજા પાસે આવ્યા. રામ કૃષ્ણ બે હાથીઓ મારા નાખ્યા તે વખતે કંસની આજ્ઞાથી મહાવતે પદ્યોત્તર અને ચંપક નામના બે હાથી તૈયાર રાખ્યા હતા તેને પ્રેરણા કરી તેથી તે બન્ને કૃષ્ણની સન્મુખ દોડયા. કૃષ્ણ દાંત ખેંચી કાઢી મુષ્ટિના પ્રહારથી
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy