SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ અને છઠ તપ કરી, બેસલીના વૃક્ષનીચે કાઉસગ ધ્યાને રહ્યા.. ત્યાં માગશર સુદ અગિયારસના દિવસે, અશ્વિની નક્ષત્રમાં પ્રભુને કેવળ જ્ઞાન થયું. દેવોએ સમવસરણની રચના કરી. તીર્થને નમી, સિંહાસન પર આરૂઢ થઈ પ્રભુએ દેશના દીધી. દેશનાને અને કેટલાકે દીક્ષા લીધી અને કેટલાક શ્રાવક વ્રત રવીકાર્યા. ગણધર ભગવન્તોએ પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. પ્રથમ પિરસી બાદ, બીજી પારસીમાં, પ્રભુની પીઠ પર બેસી કુંભ નામના ગણધરે દેશના દીધી. દેશના પૂર્ણ થતાં, દેવ પ્રભુને નમી સ્વસ્થાને ગયા. નિર્વાણ કેવળજ્ઞાન પ્રાપ્ત ર્યા પછી પ્રભુ લગભગ અઢી હજાર વર્ષ પૃથ્વી પર વિચર્યા. પછી પોતાનો નિર્વાણ કાળ નજીક આવ્યો જાણી પ્રભુ સંમેત શિખર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે પ્રભુએ અનશન કર્યું. એક માસને અને વૈશાખ વદ દશમના દિવસે અશ્વિની નક્ષત્રમાં પ્રભુ મુનિઓ સાથે મેક્ષ પદ પામ્યા. અવધિ. જ્ઞાનથી પ્રભુનું નિર્વાણ જાણી ઈંદ્ર દેવ સહિત ત્યાં આવ્યા અને યથાવિધિ નિર્વાણોત્સવ ઉજવ્ય. | શ્રી નેમિનાથ પ્રભુને પરિવાર નમિનાથ પ્રભુને નીચેને પરિવાર કે – ગણધર સાધુ ૨૦,૦૦૦ વિશહજાર સાવીઓ ૪૧,૦૦૦ એકતાલીસ હજાર ચૌદપૂર્વધારી ૪૫૦ સાડા ચારસો અવધિજ્ઞાની ૧,૬૦૦ એક હજાર અને છો મન:પર્યવજ્ઞાની ૧, ૨૦૮ બારસોને આઠ, ૧૭ સત્તર
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy