SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ હશે ? ” આવા રામની વિચારધારા અવધિજ્ઞાન વડે જાણી સૌધર્મેન્દ્ર સભા વચ્ચે કહ્યું કર્મની ગતિ વિચિત્ર છે. રામ જેવા ચરમદેહી પુરુષ અત્યારે ધર્મને હસે છે એટલું જ નહિ, પણ ઉલટા વિષય સુખની પ્રશંસા કહે છે. મારા જાણવામાં આવ્યું છે `રામલક્ષ્મણને પરસ્પર ગાઢ સ્નેહ છે તેથી રામચંદ્રને સંસાર પર વૈરાગ્ય આવતા નથી. આ વાત બે દેવાના ગળે ન ઉતરી. તેમણે લક્ષ્મણની આગળ રામની પાછળ કંદ કરતી એ અંતઃપુરની રાણી બતાવી. આ જોતાંજ લક્ષ્મણ અતિ ખેદ પામી બાલ્યા, “મારા જિવિતનું પણ જીવીતવ્ય રામ મૃત્યુ પામ્યા ? છળથી ધાત કરનાર યમરાજે આ શું કર્યુ” !” આ વચનની પૂર્ણાહુતિ સાથે લક્ષ્મણના પ્રાણ નીકળી ગયા. લક્ષ્મણ મરણ પામવા છતાં માહથી રામના મરણને અસ્વીકાર લક્ષ્મણને મૃત્યુ પામેલા જોઈ અંતઃપુરની સ્રીમા કેશ છૂટા મૂકી પરિવાર સહિત મહાઆક્રંદ કરવા લાગી. તેમનું આક્રંદ સાંભળી રામ ત્યાં દાડી આવ્યા અને બેાલ્યા, “ કાંઈ પણ અમંગળ જાણ્યા વગર તમે આ શું આરંભ્યું છે ! હું જીવું છું અને મારા અનુજ બધુ લક્ષ્મણ પણ જીવે છે. ઢાઇ રાગ તેને પીડે છે. તા તેના ઉપાય હમણાં ઔષધાથી કરીએ છીએ” આ પ્રમાણે કહી રામે વેઢાને અને જયાતિષી આને બેાલાવ્યા. તેમજ મન્ત્રત ંત્રના અનેક પ્રયોગા કરાવ્યા. સ પ્રયોગા નિષ્ફળ જતાં રામને મૂછો આવી. ક્ષણવારમાં સંજ્ઞા મેળવી ઊંચા સ્વરે વિલાપ કરવા લાગ્યા. કૌશલ્યાર્દિક માતાએ પુત્રવધુઓની સાથે અશ્ર પાડતી, કરૂણ સ્વરે આક્રંદ કરવા લાગી. નગરજનેાએ શોક પાળ્યા લવ'કુધે રામની રજા લઇ દીક્ષા લીધી અને અનુક્રમે મેાક્ષપદ પામ્યા. ભાઇના મરણથી અને પુત્રના વિયાગથી રામ વારંવાર મૂર્છા.
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy