SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ રાવણની રજા લઈ ઘેર આવે ત્યારે તેને ખબર પડી કે ગર્ભ સંભાવિનાને લીધે અંજનાને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે. પવન જય અંજનાના પિયર ગયા. ત્યાં પણ અજનાને કોઈએ સત્કાર કર્યો ન હતો એ સાંભળીને પવનંજય ઘણો દુઃખી થયો. તેણે અગ્નિ પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો અને એના માતાપિતાને પોતાના આ અગ્નિ પ્રવેશના નિણર્યની જાણ કરી. અંજનાની શોધ કરવા પ્રહાદ રાજાએ દશે દિશામાં અનુચરે મેકલ્યા. અનુચરે ફરતા ફરતા હનુપુર પહોંચ્યા. અંજનાએ પવનંજયને નિર્ણય જાણ વિલાપ કરવા માંડયો એનો વિલાપ સાંભળી પ્રતિસે એને આશ્વાસન આપ્યું એક વિમાનમાં અંજના તથા હનુમાનને બેસાડી જ્યાં પવનય હતું તે જંગલમાં આવી પહોંચ્યા. પોતાની પ્રિયાને જોઈ તત્કાળ પવનંજ્ય સમુદ્રની જેમ દુઃખની ભરતીથી નિવૃત્ત થયો અને પોતાની ભૂલની માફી માગી. વરૂણ સાથે રાવણનું બીજું યુદ્ધ-હનુમાનનું પરાક્રમ આ અરસામાં રાવણને વરૂણ સાથે બીજી વાર યુદ્ધ કરવાની ફરજ પડી તેમાં હનુમાન કેટલાક સામંતે લઈ યુદ્ધમાં ગયે. વરૂણ પિતાના સો પુત્રો ને લઈ યુદ્ધ કરવા આવે. હનુમાને એના સો પુત્રો ને પશુઓની જેમ બાંધી લીધા. રાવણ અને વરૂણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અને રાવણ વરૂણ અને તેના પુત્રોને કેદ કરી પિતાની છાવણમાં લાવ્યું અને પછી બધાને છોડી મૂક્યા. હનુમાનના પરાકમથી પ્રસન્ન થઈ વરૂણે પિતાની સત્યવતી નામની કુંવરી હનુમાન ને પરણાવી અને રાવણે સુપનખાની પુત્રી હનુમાનને આપી પછી ઘણી કન્યાઓ પરણી હનુમાન ઘેર પાછો ફર્યો બલદેવ રામ-વાસુદેવ લક્ષમણું અયા નામના નગરમાં ઈક્વાકુ વંશમાં સૂર્યવંશી અનેક
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy