SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ આશ્રમે તેડી લાવ્યા. આ જોઈ પરશુરામ કોપાયમાન થયે. અને તેણે પરશુ વડે માતા અને પુત્રને મારી નાખ્યાં. અનંતવી જયારે આ સમાચાર સાંભળ્યા ત્યારે તે તુરત ત્યાં આવ્યો અને જમદગ્નિના આશ્રમને નાશ કર્યો. મુનિઓને કોલાહલ સાંભળી પરશુરામ પરશુ સહિત દેડી આવ્યું. અને તેણે અનંતવીર્યને મારી નાખ્યા. સુભૂમ ચકવત્તા અનંતવીર્યના મૃત્યુ પછી પ્રધાનોએ કૃતવીર્યને ગાદી ઉપર બેસાડ. તેને તારા નામે રાણી હતી. તેની કુક્ષિને વિષે ભૂપાલ રાજાને જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્ચવી અવતર્યો. પિતાના મૃત્યુના સમાચાર સાંભળી કૃતવીર્ય ફરી તાપસના આશ્રમે આવ્યા તેણે જમદગ્નિને મારી નાખ્યું. આ સાંભળી પરશુરામે કૃતવીર્ય વગેરે તમામ ક્ષત્રિને મારી નાખ્યા. ગર્ભવતી તારા છૂપી રીતે ષિઓના આશ્રમમાં ગઈ અને ત્યાં ચકવરી પુત્રને જન્મ આપે. ભૂમિગૃહમાં જન્મ થયેલ હોવાથી તેનું સુભમ એવું નામ પાડ્યું. પરશુરામે ઘણા ક્ષત્રિયેને મારી નાખ્યા. પણ તેને હજી ભય ભટ ન હતો. તેણે કોઈ નિમિત્તિયાને પૂછયું. “મારે કોઈ પરાભવ કરી શકશે?” નિમિત્તિયાએ કહ્યું, “જે સિંહાસન ઉપર બેસી, ક્ષત્રિયેની દાઢાને જે થાળ ભર્યો છે તેને ક્ષીરરૂપ બનાવી પી જશે તે તમારો પરાભવ કરશે.” પરશુરામે દાન શાળાઓ ખોલી તેની આગળ સિંહાસન પધરાવ્યું. અને તેની ઉપર દાઢાને થાળ મૂક્યો. આ તરફ સુભમ ભૂમિગૃહમાં મેટે થયો. નિમિત્તિયાના વચનથી મેઘનાદ વિદ્યારે પિતાની કન્યા પરણાવી. એક વખતે સુભમે માતાને પૂછયું. “આ લેક આટલે જ છે કે કેમ ?” માતાએ પિતાની બધી પૂર્વ ઘટના કહી અને પરશુરામે પૃથ્વીને
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy