SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ દૂર કર્યા છે ઉપદ્રવ, દુષ્ટ ગ્રહની ગતિ તથા ખરાબ સ્વપ્નાં જે દુઃખના હેતુ અપશુકન વગેરે છે તેને એવા તથા સંપાદિત કરી છે હિતની સંપત્તિ જેણે એવું શ્રી શાંતિનાથ ભગવાનનું નામ ગ્રહણ ઉત્કૃષ્ટ વર્તે છે. સુધા સદર વાગજના નિર્મલીકૃત દિડમુખઃ મૃગલક્ષ્મ તમ શાન્ય શાન્તિનાથ જિનોડ રતુવઃ પિતાની અમૃત જેવી વાણી રૂપી ચંદ્રિકાથી જેણે દિશાઓના મુખ ભાગોને નિર્મળ કર્યો છે અને જેમને મૃગનું ચિહ્ન (લાંછન) છે એવા શ્રી શાન્તિનાથ જિનેશ્વર તમારા અજ્ઞાનની શાન્તિ માટે થાએ. પૂર્વભવ પ્રથમ ભવ-શ્રીષેણુ રાજા આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં રત્નપુર નામનું નગર હતું. ત્યાં શ્રીષેણ નામનો રાજા રાજ્ય કરતા હતા. તેને અભિનંદિતા અને શિખીનંદિતા (સિંહનંદિતા) નામે રાણીઓ હતી. એક નખત અભિનંદિતા રાણીએ રાત્રે સૂર્ય અને ચંદ્ર બનેને એકી સાથે સ્વપ્નમાં દીઠા. પૂર્ણ માસે અભિનંદિતાએ સૂર્ય ચંદ્ર સરખા બે પુત્રોને જન્મ આ. રાજાએ તેમનાં ઈન્દુષેણ અને બિંદુષેણ એવાં નામ પાડ્યાં. અનુક્રમે બાળકે વૃદ્ધિ પામ્યા અને શસ્ત્ર તથા શાસ્ત્ર કળામાં પ્રવીણ થયા. આ અરસામાં ભરતક્ષેત્રમાં અચલપુર નામનું નગર હતું ત્યાં સાંગ ચતુર્વેદ ભણનાર અને સર્વઠ્ઠીમાં શિરોમણિ ધરણી જટ નામે એક વિખ્યાત બ્રાહ્મણ રહેતો હતો. તેને યશોભદ્રા નામે એક પત્ની હતી. આની સાથે સંસાર સુખ ભોગવતાં ધરણી જટને નંદિભૂતિ
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy