SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ કાન્તિવાળા અને સર્વ લક્ષણે પરિપૂર્ણ એક કુમારને જન્મ આપ્યું. અશ્વસેન રાજાએ તેનું સનકુમાર એવું નામ પાડયું. આ સનકુમારને મહેન્દ્રસિંહ નામે એક મિત્ર હતા. એક દિવસ બન્ને મિત્રો મકરન્દ નામના ઉધાનમાં ક્રીડા કરવા ગયા હતા. ત્યાં સનસ્કુમાર પિતાએ ભેટ આપેલ જલધિ કલેલ નામના અશ્વ ઉપર બેઠે. અશ્વ તુરત જ દોડવા લાગ્યા. જોત જોતામાં કુમાર સહિત અશ્વ અદશ્ય થે. અશ્વસેન રાજાએ ઠેર ઠેર જોડેસવારો મેલી તપાસ કરાવી પણ સનકુમારને પત્તો લાગે નહિ. આખરે સનકુમારના મિત્ર મહેન્દ્રસિંહે તેને શેધવાનું માથે લીધું. બકુલમતિએ કહેલ સનકુમારને વૃત્તાન્ત એક વખત મહેન્દ્રસિંહે સનકુમારની શેધમાં અટવીમાં પ્રવેશ કર્યો. દૂર જતાં તેણે કેટલીક સ્ત્રીઓથી વીંટાયેલ, આનંદ કરતા એક યુવકને છે. યુવાને તેને તુરત ઓળખ્યો અને પૂછ્યું, “મહેન્દ્રસિંહ! તું અહિં કેમ અને ક્યાંથી આવે છે?” મહેન્દ્રસિંહે તેના અદશ્ય થયા પછીની બધી વાત કહી અને તેને વૃત્તાન્ત જાણવા તેની વાત પૂછી. સનકુમારે બકુલમતીને સર્વ વાત જણાવવાનું કહ્યું. બકુલમતીએ મહેન્દ્રસિંહને કહ્યું, “તે અશ્વ તમારા મિત્રને ભયંકર અટવીમાં લઈ ગયો અને બીજે દિવસે ઊભો રહ્યો. અશ્વ ઉપરથી તમારા મિત્ર ઉતર્યા કે તુત અશ્વ મરણ પામ્યા. આર્યપુત્ર જલપાન કરવાનો વિચાર કરે છે તેટલામાં તે વનનો અધિષ્ઠાયક યક્ષ જલપાત્ર સાથે હાજર . યક્ષે જલપાન કરાવ્યું અને માનસ સરોવરમાં સ્નાન કરાવ્યું. આ વખતે પૂર્વભવના શત્ર અસિત યક્ષે આર્યપુત્રને જોયો અને તેણે અનેક ઉપસર્ગો ક્ય. તમારા મિત્ર બાહુ યુદ્ધથી યક્ષને હરાવ્યું. ત્યાર પછી આર્ય પુત્ર પગે ચાલીને અટવી બહાર આવ્યા. ત્યાં ભાનુગ વિદ્યાધરની આઠ કન્યાઓએ
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy