SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ એક વખત એક ચર પુરૂષ તેની પાસે આવ્યા અને શક્તિપુરના પર્વત રાજાની ગુણમંજરી નામની વેશ્યાના ઘણા વખાણ કર્યા. તેથી વિંધ્યશક્તિએ પોતાના મંત્રીને પર્વત રાજા પાસે ગુણમંજરીનું માણું કરવા મોકલ્યા. પર્વત રાજાએ ગુણમંજરી મોકલવાની સાફ ના પાડી એટલે બન્ને વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં પર્વતરાજ પરાજ્ય પામી નાસી છુટયે અને તેણે સંભવ સૂરિ પાસે દીક્ષા લીધી. પર્વત રાજાના નાસી ગયા પછી વિંધ્યશક્તિએ પર્વત રાજાના નગર સાત પુરમાં પ્રવેશ કર્યો અને ગુણમંજરી, હાથી, ઘોડા, રને વગેરે લઈ પિતાના નગરમાં આવ્યું. પર્વત રાજર્ષિએ દીક્ષા રૂડી રીતે પાળી. પણ સંસાર વાસનાથી પૂર્ણ પણે મુક્ત નહિ થયેલ હોવાથી અને વિંધ્યશક્તિના હાથે મળેલ પરાભવ સાલતો હોવાથી, ઉગ્ર તપ કરતાં કરતાં પણ,“આ તપના પ્રભાવથી ભવાંતરમાં વિંધ્યશક્તિનો નાશ કરવાની શક્તિ અને પ્રાપ્ત થાઓ” એવું નિયાણું કર્યું. પછી અણસણ કરી મૃત્યુ પામી પ્રાણુત દેવલોકમાં દેવ થયા. બીજા પ્રતિ વાસુદેવ રાજા વિંધ્યશક્તિ પણ કેટલેક વખત સંસારમાં ભ્રમણ કરી એક ભવમા દીક્ષા અંગીકાર કરી, રૂડી રીતે પાળી, દેવલોકમાં દેવ થે. ત્યાંથી વી, વિંધ્યશક્તિને જીવ વિજયપુર નગરમાં શ્રીધર રાજાની શ્રીમતી નામની રાણીની કક્ષિને વિષે પુત્રપણે ઉત્પન થે. તેનું નામ માતાપિતાએ તારક પાડયું. તે ઘણે પરાક્રમી અને તેજવી હેવાથી ચક્રરત્નને મેળવી, પ્રતિવાસુદેવ થયા અને અધ ભરત પર પિતાનું આધિપત્ય સ્થાપ્યું. બીજા બળદેવ આ અરસામાં સૌરાષ્ટ્રમાં દ્વારિકા નામે નગર હતું. ત્યાં બ્રહ્મ નામનો રાજા રાજ્ય કરતા હતા. તેને સુભદ્રા અને ઉમા નામે બે
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy