SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ સ્વપ્ના દીઠાં અને ઇન્દ્રાદિક દેવાએ ચ્યવન કલ્યાણકના યથાવિધિ મહાત્સવ કર્યાં. જન્મ પૃણ માસે, નંદા માતાએ મહ!વદ બારસના દિવસે, પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રને યાગ હતા ત્યારે, શ્રી વત્સના લાંછનવાળા અને સુવર્ણ વર્ણવાળા પુત્રને જન્મ આપ્યું. દિગકુમારિકા ઇન્દ્રો અને દેવાએ આચાર પ્રમાણે જન્મ કલ્યાણક મહેાસવ કર્યું. રાજાએ પણ પુત્ર જન્મ નિમિત્તે ખૂબ દાન આપી જન્માત્સવ ઉજવ્યેા. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે રાજાને હરહંમેશ જે ખૂબ ગરમી રહ્યા કરતી હતી, તે નોંદા દેવીના સ્પર્શથી એકદમ શાન્ત થઇ ગઇ હતી. તેથી રાજાએ પ્રભુનુ' શીતલનાથ એવુ નામ પાડયું. દીક્ષા પ્રભુ ઉંમર લાયક થયા ત્યારે, દઢરથ રાજાએ તેમને રાજકન્યાઓ પરણાવી. જ્યારે તેઓ પચીસ લાખ પૂર્વના થયા ત્યારે રાજાએ તેમના રાજયાભિષેક કર્યાં. પચાસ હજાર પૂર્વી સુધી પ્રભુએ રાજયનું રૂડી રીતે પાલન ક્યુ. પછી લેાકાંતિક દેવાની પ્રેરણાથી વાર્ષિક દાન આપ્યુ. વાર્ષિક દાનને અન્ત ઇન્દ્રોના આસના ચલિત થયાં અને તેમણે દીક્ષા કલ્યાણક સબધી મહાત્સવ કર્યો. ત્યાર બાદ પ્રભુ આભૂષણેાથી સજજ થઇ, ચંદ્ર પ્રભા નામની શિબિકામાં બેસી, સહસ્રામ્રવનમાં પધાર્યાં, પંચમુષ્ટિ લેચ કરી, છઠ તપ પૂર્વક, એક હજાર રાજાઓનીસાથે, મહા વદ બારસને દિવસે, પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રને યાગ હતા ત્યારે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લીધા પછી તુરત જ પ્રભુને મનઃપવજ્ઞાન ઉત્પન્ન થયું. દેવળજ્ઞાન બીજે દિવસે રિષ્ટ નગરમાં પુનર્વસુ રાજાને ઘેર પરમાનથી પ્રભુએ પારણું કર્યું. પંચ દિવ્ય પ્રગટ થયાં. રાજાએ પારણાની
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy